પાક.ની જેલોમાં બંધ છે ગુજરાતના 560 માછીમારો, સરકારે વિધાનસભામાં આપી જાણકારી

ગુજરાત સરકારે વિધાનસભામાં જાણકારી આપતા જણાવ્યું છે કે, પાકિસ્તાનની જેલોમાં ગુજરાતના 560 માછીમારો બંધ છે. આ માછીમારો ભૂલથી સરહદની બીજી બાજુ ચાલ્યા ગયા હતા અને પાકિસ્તાની સેના દ્વારા તેમને પકડી લેવામાં આવ્યા હતા. વિભાનસભામાં તેને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં ગુજરાતના મત્સ્ય પાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, 31 ડિસેમ્બર, 2022 સુધી ગુજરાતના કુલ 560 માછીમારો પાકિસ્તાનની કસ્ટડીમાં છે.

ગુજરાતના મત્સ્ય પાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, તેમાંથી અડધા જેટલા એટલે કે આશરે 274 માછીમારોને છેલ્લાં બે વર્ષમાં જ પકડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 2021માં ગુજરાતના કુલ 193 માછીમારોને પાકિસ્તાન દ્વારા પકડવામાં આવ્યા હતા. તેમજ, 2022માં 81 માછીમારોને પાકિસ્તાન દ્વારા પકડવામાં આવ્યા હતા. વીતેલા બે વર્ષમાં પાકિસ્તાન દ્વારા ભારતના 55 માછીમારોને છોડવામાં આવ્યા છે. તેમાંથી 2021માં 20 માછીમારોને છોડવામાં આવ્યા હતા અને 2022માં 35 માછીમારોને છોડવામાં આવ્યા હતા.

પાકિસ્તાન દ્વારા પકડવામાં આવેલા માછીમારોના પરિવારોને સરકાર દ્વારા કયા પ્રકારની સુવિધા આપવામાં આવી તેવો પણ સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં ગુજરાત સરકારે જણાવ્યું કે, પાકિસ્તાનની જેલોમાં બંધ માછીમારોના 323 પરિવારોને દરરોજ 300 રૂપિયાની મદદ આપવામાં આવી રહી છે. વર્ષ 2021માં 300 પરિવારોને આ આર્થિક મદદ આપવામાં આવી છે અને વર્ષ 2022માં 428 પરિવારોને આ આર્થિક મદદ આપવામાં આવી. જણાવી દઈએ કે, પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીની નૌકાઓ મેરીટાઇમ સીમાની પાસે પેટ્રોલિંગ કરતી રહે છે. જેવો કોઈ ભારતીય માછીમાર ભૂલથી પણ સરહદ પાર કરી જાય તો તેને પકડી લેવામાં આવે છે.

રાજ્ય સરકારે સદનને જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા પકડવામાં આવેલા ગુજરાતી માછીમારો અને તેમની બોટને છોડવાની પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે વર્ષ 2021માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયને 11 વાર ઔપચારિકરીતે અનુરોધ કરવામાં આવ્યો હતો. એ જ રીતે વર્ષ 2022માં 10 વાર અનુરોધ કરવામાં આવી ચુક્યો છે. વર્ષ 2023માં પણ ગુજરાત સરકાર આ કામ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સતત ઔપચારિક અનુરોધ કરી રહ્યું છે.

પાકિસ્તાનના માછીમારો પણ ઘણીવાર ભૂલથી સરહદ પાર કરીને આ તરફ આવી જાય છે, જેમની ભારતીય એજન્સીઓ દ્વારા ધરપકડ કરી લેવામાં આવે છે. સામાન્યરીતે માછીમારો મોટી સંખ્યામાં માછલીઓ પકડવાની લાલચમાં ભૂલથી સરહદ પાર કરી જાય છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.