રાજકોટઃ વેકેશનમાં ઘરે આવેલો, પિતા સાથે બાઇક પર નિકળેલા કિશોરનું હાર્ટ એટેકથી મોત

On

હૈદ્રાબાદના ગુરુકુળમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી દિવાળીના વેકેશનમાં રાજકોટ પોતાના ઘરે આવ્યો હતો. પિતા સાથે બાઇક પર બહાર નિકળ્યો તો હાર્ટએટેકને કારણે મોતને ભેટ્યો હતો. 15 વર્ષની વયના આ કિશોરના નસીબની બલિહારી તો જુઓ કે હૈદ્રાબાદ જવા માટે આજની તેની ટ્રેનની ટિકીટ હતી, પરંતુ હૈદાબાદ જવાને બદલે અંતિમ યાત્રા પર નિકળી ગયો હતો.વ્હાલસોયા એકના એક દિકરાના મોતને કારણે પરિવારે કલ્પાંત મચાવી મૂક્યો હતો.

રાજકોટમાં રહેતો પૂજન ઠુંમર હૈદ્રાબાદના ગુરુકુળમાં અભ્યાસ કરતો હતો અને તે અત્યારે 10મા ધોરણનો અભ્યાસ કરી રહ્યો હતો. દિવાળીનું વેકેશન પડવાને કારણે બધા વિદ્યાર્થીઓની જેમ પૂજન પણ વેકેશન માણવા પોતાના ઘરે આવ્યો હતો. વેકેશન પુરુ થવાની તૈયારી હતી અને પૂજનની હૈદ્રાબાદ જવાની આજની ટ્રેનની ટિકીટ પણ હતી.

પરંતુ નિયતિને કદાચ બીજું જ મંજૂર હતું. પૂજન પોતાના પિતા સાથે બાઇક પર બેસીને વાળ કપાવવા ગયો હતો. વાળ કપાવીને પિતા-પુત્ર જ્યારે ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે પૂજન બાઇક પરથી પટકાઇ ગયો હતો.

પૂજન ઠુંમરને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો. પૂજનનું મોત હાર્ટએટેકને કારણે થયું હોવાનું તબીબોએ કહ્યુ હતું.

રાજકોટના કોઠારીયા રોડ પર આવેલી શ્રદ્ધા સોસાયટીમા રહેતા અમિત ઠુંમરને સપનેય પણ ખ્યાલ નહીં હોય કે દિકરીને બાઇક પર બેસાડીને લઇ જવામાં દિકરો ગુમાવવો પડશે. બાઇક પરથી જ્યારે પૂજન પટકાયો ત્યારે પિતાએ પોતાના એકના એક દિકરાને બચાવવાનો પુરો પ્રયાસ કર્યો હતો, પરંતુ દિકરાને બચાવી ન શક્યા અને એ વાતનો તેમને ભારોભાર વસવસો છે.

જ્યારે માતાને પુત્રના મોતના સમાચાર મળ્યા ત્યારે માતાએ કલ્પાંત મચાવી મૂક્યો હતો.

છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધી રહ્યું છે. ક્રિક્રેટ રમતા રમતા કે ગરબા રમતા યુવાનોના હાર્ટએટેકને કારણે મોત થયા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પૂજંન ઠુંમર તો માત્ર 15 વર્ષનો જ હતો.

ઉત્તર પ્રદેશના ગર્વનર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ થોડા સમય પહેલાં પાટણના એક કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં હાર્ટએટકના બનાવો ચિંતાજનક છે. તેમણે કહ્યુ હતું કે, શા માટે યુવાનોમાં હાર્ટએટેક વધી રહ્યા છે તેનો સરવે કરાવવો જોઇએ.

Related Posts

Top News

દિલ્હીના CM રેખા ગુપ્તા કેમ કરવા લાગ્યા કેજરીવાલના વખાણ? આતિશીને આપી નાખી સલાહ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા આમ તો આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કરે છે. પરંતુ સોમવારે તેમણે...
National  Politics 
દિલ્હીના CM રેખા ગુપ્તા કેમ કરવા લાગ્યા કેજરીવાલના વખાણ? આતિશીને આપી નાખી સલાહ

હાર્દિક પર પ્રતિબંધ, બુમરાહને ઈજા...આ 3 ખેલાડી IPL 2025ની શરૂઆતની મેચમાંથી બહાર રહેશે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી, ભારતીય ટીમના ખેલાડીઓ IPLની 18મી સીઝનની તૈયારી કરી રહ્યા છે. IPL 2025 22...
Sports 
હાર્દિક પર પ્રતિબંધ, બુમરાહને ઈજા...આ 3 ખેલાડી IPL 2025ની શરૂઆતની મેચમાંથી બહાર રહેશે

ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

ગુજરાતના લોકોને ગેરકાયદે અમેરિકામા ઘુસાડવાના નેટવર્કના માસ્ટર માઇન્ડ ગણાતા ‘બાબુજી’ને કેનેડાની પોલીસ શોધી રહી છે. કેનડામાં આ...
National 
ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી આમ આદમી પાર્ટીએ ગોવા અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં, ...
Gujarat 
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati