વડોદરાઃ દલિત વૃદ્ધનું મોત થયું હતું, ગામના લોકોએ અંતિમ સંસ્કાર ન કરવા દીધા

લાગે છે કે આઝાદીના 76 વર્ષ પછી પણ હજુ કેટલાંક લોકોની માનસિકતામાં બદલાવ આવ્યો નથી. વડોદરામાં એક દલિતનું મોત થયું હતું, તેમના મોતનો મલજો પણ ન જળવાયો, ગામના લોકોએ અંતિમ સંસ્કાર ન કરવા દીધા અને આખરે દલિત વૃદ્ધના સ્મશાનથી થોડુ દુર અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ગામના સરપંચ સહિત 13 સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પરાકાષ્ઠા એ વાતની હતી કે ચડસાસડસીમાં મૃતદેહ 15 કલાક સુધી પડી રહ્યો હતો.

જાણવા મળેલી વિગત મુજબ વડોદરાના પાદરા તાલુકામાં આવેલા ગામેઠા ગામમાં રહેતા 68 વર્ષના દલિત કંચનભાઇ વણકરનું મોત થયું હતું. તેમની અંતિમ યાત્રામાં ફળિયાના અને સમાજના લોકો જોડાયા હતા અને અંતિમ યાત્રા ગામના એક સ્મશાનમાં પહોંચી હતી. તે વખતે ગામના સરપંચ નગીન પટેલની સાથે ગામના કેટલાંક લોકો સ્મશાને પહોંચી ગયા હતા અને કંચનભાઇ વણકરના અંતિમ સંસ્કાર અટકાવી દીધા હતા. ગામના લોકો અને વણકર પરિવાર વચ્ચે લાંબો વિવાદ ચાલ્યો અને લગભગ 15 કલાક સુધી ચડભઢ ચાલી હતી.

 વિવાદમાં મોતનો મલાજો પણ જળવાયો અને શંકરભાઇના મૃતદેહને 15 કલાક પછી સ્મશાનની નજીકના વિસ્તારમાં અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા. એ વખતે તો અંતિમ સંસ્કારની પ્રક્રિયા પુરી કરીને વાત પતી ગઇ, પરંતુ એ પછી દલિત સમાજમાં ભારે હોબાળો મચી ગયો હતો અને સમાજના આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા હતા અને ગામના સરપંચ નગીન પટેલ સહિત 13 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

 

જ્યારે અંતિમ સંસ્કાર કરવાની ગામના લોકો ના પાડી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને સમજાવવાની કોશિશ કરી હતી. સામાજિક વિવાદ હોવાને કારણે પોલીસે વિવેક બુદ્ધીનો ઉપયોગ કરીને ઉકેલ લાવવાની વિનંતી કરી હતી, પરંતુ ગામના લોકો કોઇ પણ રીતે  માનવામાં તૈયાર નહોતા અને તેમણે કોઇ પણ સંજોગોમાં અંતિમ સંસ્કાર નહીં કરવા દેવા અડગ રહ્યા હતા.

દલિત સમાજના  અગ્રણી ભરતભાઇ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, ગામમાં એક જ સ્મશાન છે, દલિત માટે કઇં અલગ સ્મશાન નથી, તો અંતિમ ક્રિયા અહીં જ કરવાની હોય ને.દલિસ સમાજના એક અગ્રણીએ આરોપ લગાવ્યો હતો કે, ગામનો લોકો મોટી સંખ્યામાં શસ્ત્રો લઇને સ્મશાનમાં આવ્યા હતા. આખરે ખુલ્લી જગ્યામાં શંકરભાઇ વણકરના અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.