નવસારીની સરકારી શાળાના મધ્યાહન ભોજનમાંથી ગરોળી નિકળતા ખળભળાટ, તપાસના આદેશ

નવસારીની એક પ્રાથમિક સરકારી શાળાના મધ્યાહન ભોજનમાં દાળ-ભાતમાંથી મરેલી ગરોળી નિકળતા ભારે હડકંપ મચી ગયો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.મધ્યાહન ભોજન જાણે એક મજાક બની ગયું હોય તેવું લાગે છે, તાજેતરમાં બિહારમાં બાળકોના ભોજનમાંથી મરેલો સાપ મળી આવ્યો હતો. આવા તો અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. શું તંત્રને કે જવાબદાર વ્યકિતઓને બાળકોના આરોગ્ય વિશે કોઇ ચિંતા નથી?

સરકારી શાળાઓમાં બાળકો માટે મધ્યાહન ભોજના ચાલે છે અને ભોજનની વ્યવસ્થા ખાનગી સંસ્થાઓ પુરી પાડતી હોય છે, પરંતુ હમેંશા ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉભા થતા રહે છે.

ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શુક્રવારે દાળ-ભાતમાંથી મરોલી ગરોળી મળી આવતા ભારે હોબાળો મચી ગયો હતો. જો કે સદનસીબે બાળકો જમવાની શરૂઆત કરે તે પહેલા ગરોળી દેખાઇ જતા ભોજન અટકાવી દેવાયું હતું. પરંતુ, સવાલ એ છે કે કોઇએ જોયું ન હતે અને બાળકો એ ભોજન આરોગી લેતે તો શું થતે?

નવસારી જિલ્લામાં નાયક ફાઉન્ડેશન દ્રારા પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન પહોંચાડવાનો પરવાનો છે.ચીખલી તાલુકાની આ શાળામાં 34માંથી 29 વિદ્યાર્થીઓ હાજર હતા. મઘ્યાહન ભોજનમાં ગરોળી નિકળવાની જાણ થતા આખું તંત્ર ઉંધા માથે થઇ ગયું હતું અને ભોજનના સેમ્પલો લેવામાં આવ્યા છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. ભગીરથ સિંહ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પ્રાથમિક સરકારી શાળાના મધ્યાહન ભોજનમાં દાળ-ભાતમાંથી મરેલી ગરોળી હોવાની ઘટના ધ્યાન પર આવી છે અને આ મામલે તપાસ સોંપી દેવામાં આવી છે. જેનો રિપોર્ટ આવ્યા પછી સાચી માહિતી ખબર પડશે. કોઇ પણ બાળકને ભોજન આપવામાં આવ્યું નહોતું અને સાથે નજીકની અન્ય શાળાઓને પણ માહિતી આપીને ભોજન અટકાવી દેવાયું હતું. નાયક ફાઉન્ડેશને તમામ બાળકો માટે ફરી વ્યવસ્થા કરીને ભોજન પહોંચાડ્યું હતું.

તંત્રએ અને સરકારે આ વાતને ખરેખર ગંભીરતાથી લેવાની જરૂર છે, એ વાતની તપાસ થવી જોઇએ કે ગંભીર બેદરકારીને કારણે આવું બની રહ્યું છે કે કોઇ વિકૃત માણસો ભોજનમાં આવું નાંખીને માહોલ બગાડી રહ્યા છે.કારણકે તમને જાણ હશે કે હજુ થોડા દિવસો પહેલા બિહારની સરકારી શાળામાંથી મરેલો સાપ મળ્યો હતો, વલસાડની એક શાળામાંથી ભોજનમાં જીવાત મળી હતી, ભોજનમાંથી ઇયળ કે વાંદા નિકળ્યા હોવાન બનાવો પણ બન્યા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.