વરાછામાં યોગ કરતી વખતે રત્ન કલાકાર ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મોત

સુરતના વરાછા વિસ્તારમાં વધુ એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. વહેલી સવારે યોગાસન કરવા ગયેલો રત્નકલાકાર અચાનક ઢળી પડ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ કરે તે પહેલાં જ તેના શ્વાસ થંભી ગયા હતા.  જાણવા મળેલી માહિતી મુજબ હાર્ટએટેકને કારણે રત્ન કલાકારે જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી આવા અનેક ચિંતાજનક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં ક્રિક્રેટ રમતા રમતા હ્રદયરોગના હુમલાને કારણે યુવાનો જીવ ગુમાવી રહ્યા છે. ગુજરાતમાં જ છેલ્લાં એક મહિનામાં 5થી વધારે  યુવાનો સ્પોર્ટસ રમતા રમતા હાર્ટએટેકને કારણે મોતને ભેટ્યા હોવાના કિસ્સા બન્યા છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા કિરણ ચોક પાસે હરેકૃષ્ણ ફાર્મ હાઉસમાં 44 વર્ષના મુકેશ મેંદપરા યોગાસન કરવા ગયા હતા. મુકેશ મેંદપરા વરાછાની એક ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. ધૂળેટીની રજા હોવાને કારણે મેંદપરા વહેલી સવારે યોગા કરવા ગયા હતા. યોગા કરતી વખતે તેમની તબિયત અચાનક લથડી હતી અને તેમને દુખાવો ઉપડ્યો હતો. મુકેશ મેંદપરાને નજીકમાં આવેલી ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ એ પહેલાં જ તેમનું મોત થઇ ચૂક્યું હતું. કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પોલીસ મથકના પીએસઆઇ પી. એ. ભેડાએ જણાવ્યું હતું કે, મુકેશભાઈને યોગ દરમ્યાન એસીડીટી અને પેટમાં બળતરા થયા બાદ સાથી મિત્રો ઓટો રિક્ષામાં હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ તે પહેલા તેમને છાતીમાં દુઃ ખાવો વધુ થયો હતો. હાર્ટ બંધ થઈ ગયું હોવાનું જાણવા મળતા તેમને મૃત જાહેર કર્યા હતા. એટલે અચાનક હૃદય રોગના હુમલાને કારણે તેમનું મોત થયું હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. જોકે આ મામલે PM રીપોર્ટ બાદ મુકેશભાઈના મોતનું કારણ સામે આવી શકે છે.

છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટ એટેકનં પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. છેલ્લા બે મહિનામાં ક્રિકેટ કે અન્ય રમત રમતી વખતે આવેલા હાર્ટ એટેકથી છથી સાત લોકોના મોત થયા છે.  હજુ થોડા દિવસો પહેલાં જ ઓલપાડમાં એક યુવાન ક્રિક્રેટ રમતા રમતા ઢળી પડ્યો હતો. આવા કિસ્સા રાજકોટમાં પણ બન્યા હતા. આવી રીતે મોતને ભેટનારો લોકો  એકદમ યુવાન વયના હતા.

મેદાન પર રમતી વખતે અચાનક મોતના કિસ્સાને સરકારે અને તબીબોએ ખરેખર ગંભીરતાથી લેવાની જરૂર છે, કારણ કે દિવસે દિવસે આવા કિસ્સા વઘી રહ્યા છે. તબીબોએ એ પણ ચેક કરવું જોઇએ કે કોરોનાને કારણે હાર્ટએટેકના બનાવો તો નથી વધી રહ્યા?

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.