દરિયામાં એક વાવાઝોડું આકાર લઇ રહ્યું છે જેને ‘તેજ’ નામ અપાયું, વરસાદ પડશે

ગુજરાતમાં ચોમાસાની સિઝન પુરી થઇ હોવાનું હવામાન વિભાગે હજુ થોડા સમય પહેલા જ જાહેર કર્યું હતું અને જૂન મહિનામાં બિપોરજોય વાવાઝોડના ટેન્શનમાંથી લોકો હજુ માંડ બહાર આવ્યા છે ત્યારે ફરી એક બીજું વાવાઝોડું સક્રીય થઇ રહ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે.જેને ‘તેજ’ નામ આપવામાં આવ્યું છે.

જાણવા મળેલી માહિતી મુજબ અરબી સમુદ્ધમાં દક્ષિણ પૂર્વ અને દક્ષિણ મધ્યમાં એક મજબૂત લો પ્રેસર સિસ્ટમ સક્રીય થઇ છે. જેને કારણે 21 ઓકટોબર સુધીમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને દિલ્હીમાં પવન ફુંકાવવાની સાથે છુટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. લો પ્રેસરને કારણે દરિયામાં એક વાવાઝોડું પણ આકાર લઇ રહ્યું છે જેને ‘તેજ’ નામ આપવમાં આવ્યું છે.

ગુજરાતના હવામાન વિભાગના કહેવા મુજબ વર્ષ 2023ની શરૂઆતથી જ અરબી સમુદ્ધમાં સક્રીયતા જોવા મળી રહી છે, જેને કારણે ગુજરાતના વાતાવરણ પર પણ અસર રહી છે.

આ ચોમાસાની સિઝનમાં ખેડુતોનો ચોમાસું પાક તૈયાર થઇ ગયો છે એવા સમયે લો પ્રેસર ને કારણે વરસાદની શક્યતાએ ખેડુતોમાં ચિંતા વધારી છે. 150 કિ.મીની ગતિએ પવન ફુંકાવવાની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું કે અમે વાવાઝોડાની દરેક ગતિવિધી પર નજર રાખી રહ્યા છે.

‘તેજ’ વાવાઝોડાની તીવ્રતા કેટલી હશે તે વિશે અત્યારે કહેવું મુશ્કેલ છે. અત્યારે એટલી માહિતી મળી રહી છે કે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ધ અને કેરળના દરિયા કિનારે એક સાઇક્લોનિક સર્ક્યુલેશને આકાર લીધો છે જે સમુદ્ધ સપાટીથી 3.1 કિ.મી ઉપર હોવાનું માનવામાં આવે છે. આ બધી પ્રક્રિયાને કારણે આગામી 48 કલાકમાં દક્ષિણ પૂર્વ અને આસપાસના પૂર્વ મધ્ય અરબી સમુદ્ધમાં ઓછા દબાણનું ક્ષેત્ર સર્જાઇ શકે છે.

અત્યારે તો માત્ર લો પ્રેસર બન્યું છે, પરંતુ વાવાઝોડું બન્યા બાદ તેનો ટ્રેક નક્કી થશે. જો કે કેટલાંક નિષ્ણાતોનું કહેવું છે કે ‘તેજ’ વાવાઝોડું ઓમાન તરફ જવાની વધારે શક્યતા દેખાઇ રહી છે.

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે પણ થોડા દિવસો પહેલા મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, એક નહીં બબ્બે વાવોઝાડો સક્રીય થઇ રહ્યા છે. અરબી સમુદ્દ અને બંગાળની ખાડી બંનેમાં વાવાઝોડા આકાર લઇ રહ્યા છે. 18 ઓકટોબરથી લો પ્રેસર બનવાનું શરૂ થયું છે. 26 તારીખની આજુબાજું વાવાઝોડું આવી શકે એમ અંબાલાલ પટેલે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ વાવાઝોડું મજબુત હોવાની ધારણા છે. કેટલાંક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી શકે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.