4 વર્ષના બાળકને ખબર નથી કે હવે પપ્પા નહીં આવે, અમદાવાદમાં દોરીથી ગળું કપાતા મોત

ઉત્તરાયણનો તહેવાર એવો છે કે લોકોને પતંગો ઉડાવવાની મોજ તો પડે છે, પરંતુ એ પતંગનો દોરો કોઇકના માટે જીવલેણ પણ સાબિત થાય છે. દર વર્ષે ઉત્તરાયણના તહેવારમાં દોરીને કારણે ગળું કપાઇને મોત થવાની ઘટના બને છે. માણસો તો મોતને ભેટે  જ છે, પરંતુ સાથે સાથે નિદોર્ષ પક્ષીઓ પણ દોરાનો ભોગ બને છે. કલોલમાં એક પરિવારનો એકનો પુત્ર દોરીનો ભોગ બન્યો છે.

કલોલમાં રહેતો 36 વર્ષનો યુવક અશ્વિન ગઢવી ઉત્તરાયણના દિવસે આમ જ બાઇક પર લટાર મારવા નિકળ્યો હતો. અશ્વિન કલોલ હાઇવે પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે બ્રીજ નજીક દોરી તેના ગળા પાસેથી પસાર થઇ હતી અને દોરીની મજબુતાઅ એટલી હશે કે અશ્વિનનું ગળું પળવારમાં કપાઇ ગયું અને લોહીનું ખાબોચિયું બની ગયું હતું. ઘટના સ્થળે જ અશ્વિનનું મોત થયું હતું.

અશ્વિનના પરિવારે કહ્યુ હતું કે અશ્વિન તેમના પરિવારનો એકનો એક દીકરો હતો. આમ તો તેને બાઇક પર રખડવાનો શોખ હતો, પરંતુ આ વખતે ઘરે પાસે આવશે જ નહીં તેની અમને કલ્પના નહોતી. પરિવારે કહ્યુ કે અશ્વિનના 4 વર્ષના માસૂમ પુત્રને તો હજુ ખબર જ નથી કે તેના પપ્પા હવે પાછા નહીં આવે. અશ્વિન છત્રાલમાં આવેલી એરેક્સ કંપનીમાં નોકરી કરતો હતો.

પતંગની દોરીએ એક સાવ નિર્દોષ પરિવારના માળાને અચાનક વિખેરી નાંખ્યો હતો. અશ્વિનને એક જ 4 વર્ષનો પુત્ર છે અને હજુ તો પિતા સાથે રમવાના તેના સપના હશે, પરંતુ પતંગની દોરીએ એ માસૂમ બાળકના સપના પણ ચકનાચૂર કરી નાંખ્યા છે.

હવે બીજી ઘટનાની વાત કરીએ તો વિસનગરમાં ચાઇનીઝ દોરાને કારણે એક 3 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો છે. આખા ગુજરાતમાં ચાઇનીઝ દોરોના પ્રતિબંધની સરકાર વારંવાર ગુલબાંગ પોકારતી રહે છે, પરંતુ ચાઇનીઝ દોરા વેચનારા દોરા વેચતા જ રહે છે અને માસુમ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે.

વિસનગરમાં એક 3 વર્ષની બાળકીને તેની મમ્મી તેડીને જઇ રહી હતી ત્યારે ચાઇનીઝ દોરો બાળકીના ગળામાં ભેરવાઇ ગયો હતો. બાળકીને તરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ તબીબો બાળકીનો જીવ બચાવી શક્યો નહોતા.વ્હાલસોયી દીકરીના અચાનક મોતથી જાણે પરિવાર પર આભ તુટી પડ્યું હતું.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.