કોંગ્રેસમાંથી AAPમાં ગયેલા પાછા આવવા લાગ્યા? રાજકોટમાં વશરામ સાગઠિયા સસ્પેંડ

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં સામેલ થવાનું આમ આદમી પાર્ટીના રાજકોટના નેતાને ભારે પડ્યું છે. આમ આદમી પાર્ટીએ આ નેતાને સસ્પેન્ડ કરી દીધા છે. હવે આ નેતાની કોંગ્રેસમાં જવાની અટકળો ચાલી રહી છે.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલાં કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટી જોઇન કરનાર રાજકોટના વશરામ સાગઠીયા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં સામેલ થતા, પાર્ટીએ તેમને આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.AAPના ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠીયાએ વશરામ સાગઠીયાને પાર્ટીમાં સસ્પેન્ડ કરવાનો લેખિતમાં હુકમ કર્યો છે.

વશરામ સાગઠિયાને લાગે છે કે સસ્પેન્ડ થવાનું કોઠે પડી ગયું છે. વશરામ સાગઠિયા રાજકોટ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી જીત્યા હતા.જ્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનો સમય હતો ત્યારે રાજકોટ કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ છોડીને AAPમાં પ્રવેશ કર્યો હતો, તેમની સાથે વશરામ સાગઠીયા પણ AAPમાં જોડાઇ ગયા હતા. જો કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુનો AAP સાથેનો પ્રેમ લાંબો ટક્યો નહીં અને તેમણે AAPને રામ રામ કરીને ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરી લીધી હતી. પરંતુ વશરામ સાગઠિયા AAPમાં રહ્યા હતા.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુની કોંગ્રેસ વાપસી પછી એવી અટકળો હતી જ કે વશરામ સાગઠીયા પણ ગમે ત્યારે કોંગ્રેસમાં આવી જ જશે, કારણકે તેમને ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે નજીકના સંબંધો છે.

હવે 2 દિવસ પહેલાં કોંગ્રેસના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં વશરામ સાગઠીયા ઉત્સાહભેર સામેલ થયા હતા તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો સામે આવતા આમ આદમી પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે. એવી ચર્ચા ચાલી રહી છે કે વશરામ સાગઠીયા આવતીકાલે કોંગ્રેસમાં ઘર વાપસી કરી શકે છે.

મનોજ સોરઠીયાએ વશરામ સાગઠીયાના સસ્પેન્ડ કરવાની જાહેરાત પછી સાગઠીયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું  કે, મેં તો 18 જૂને સાંજે જ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીને મારું રાજીનામું મોકલી આપ્યું હતું અને ઇસુદાન સાથે ફોન પર વાત પણ કરી હતી. આજે મનોજ સોરઠીયા મને સસ્પેન્ડ કરવાની વાત કેમ કરી રહ્યા છે, તે મને સમજાતું નથી.

મનોજ સોરઠીયાએ પત્રમાં લખ્યું છે કે  વશરામ સાગઠીયા પાર્ટી વિરુધ્ધ કામ કરતા હોવાની અનેક ફરિયાદો કાર્યકર્તાઓ પાસેથી મળી હતી જેની તપાસ કરતા સાચી જણાઇ હતી એટલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.