AAPથી કોંગ્રેસને નુકશાન થશે BJPને નહીં, AAP BJPને જીતાડવા માટે આવી છે: BJP MLA

વડોદરા જીલ્લાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું એક નિવેદન હાલમાં સામે આવ્યું છે જેમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા આમ આદમી પાર્ટી માટે કહેવામાં આવ્યું છે કે, આમ પાર્ટી ભાજપને જીતાડવા માટે જ ગુજરાતમાં આવી છે, કારણકે આમ પાર્ટીનું ગુજરાતમાં કોઈ લેવા દેવા છે નથી. અહીં આવીને એ પાર્ટી કહે છે કે અમે લાઇટ લાવીશું, આ લાવીશું તેમ કહી મધુ શ્રીવાસ્તવે આમ આદમી પાર્ટી પર આડકતરો પ્રહાર કર્યો હતો. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીથી ભાજપને કોઈ નુકશાન નથી કોંગ્રેસને જ નુકશાન છે.

આ સાથે જ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે દાવો કરતા કહ્યું છે કે, તેઓ ભાજપમાંથી જ ચૂંટણી લડવાના છે અને ભાજપમાં કોઈ ક્રાઈટેરિયા એવું કઈં છે જ નથી. ત્યાર બાદ તેમણે કહ્યું કે અમારા પહેલાના અધ્યક્ષ અને અમિત શાહજી પણ ગુજરાતમાં આવીને કહી ગયા છે કે, જીતે તેવા ઉમેદવારને જ ટિકિટ આપવાની છે.

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વધુમાં કહ્યું કે આ બાબતે મને કોઈ કમિટમેન્ટ નથી આપવામાં આવ્યું પણ જ્યારે પહેલી વાર 90ના વર્ષમાં હું અપક્ષ તરીકે 27 હજાર મતથી જીત્યો હતો, ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીએ મને બોલાવીને ટિકિટ આપી હતી. આથી 5 વખત ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપતા, 5 વખત હું ભાજપમાંથી જીત્યો એક વાર અપક્ષમાંથી જીત્યો. હું 6 વખત ચુંટણી જીત્યો છું અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ પક્ષ મને જ ટિકિટ આપશે અને હું 7મી વાર પણ આ ચુંટણી જીતીશ એમાં કોઈ શંકાને સ્થાન નથી.

ત્યારે હાલ તો, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મીડિયા સમક્ષ વિધાનસભાની ચૂંટણી લડવાનો આત્મવિશ્વાસ પણ રજૂ કર્યો હતો અને તેઓ ભાજપમાંથી જ ચૂંટણી લડવાના છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. ત્યારે આવનારી વિધાન સભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપવામાં આવે કે કેમ?, તેમજ ટિકિટ મળ્યા બાદ તેઓ જીત હાંસલ કરે છે કે કેમ? તે તો આવનારો સમય જ બતાવશે. જો કે, હાલ તો ગાંધીનગર ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મધુ શ્રીવાસ્તવ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ ફરીથી તેમને જ ટિકિટ આપશે તેનું રટણ કરતાં જોવા મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ તેઓએ પોતાને જ ટિકિટ મળશે તેવા દાવાઓ અનેકવાર કર્યા છે. તદુપરાંત અનેકવાર તેમણે આપેલાં નિવેદનોને કારણે તેઓ વિવાદમાં પણ રહ્યા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.