ગામના 8 લોકોને કેન્સરની બીમારી થતા 21 વર્ષથી ગુજરાતના આ આખા ગામે છોડ્યું વ્યસન

હાલના આ દેખાદેખીના યુગમાં વ્યસન કરવું એ જાણે ફેશન બની ગયું છે. હાલના સમયમાં તમે ગમે તે સ્થળે જાઓ તમને ત્યાં કોઇને કોઇ તો વ્યસની મળી જ જશે. પરંતુ ગુજરાતનું એક ગામ એવું છે કે જ્યાં આખા ગામમાં કોઇ પણ વ્યકિત વ્યસન કરતું નથી. જી હા, કદાચ આ વાત સાંભળીને તમને આશ્ચર્ય થશે. પણ આ વાત સાચી છે. ગુજરાતનાં મહેસાણા જિલ્લામાં આશરે 6 હજારની વસ્તી ધરાવતા વડનગરના બાદરપુર ગામમાં નાનાથી લઈને મોટા સુધી સૌ કોઇ વ્યસનથી જાણે 100 ડગલાં દૂર રહે છે. આ ગામમાં છેલ્લા 21 વર્ષથી ગુટખા-તંબાકુના વેચાણ પર પ્રતિંબંધ છે. અને પોતાના આ નિર્ણયને કારણે આ ગામ કોઇ મંદિર, મસ્જિક કે પ્રવાસન સ્થળથી નહીં પણ પોતાના અડીખમ નિર્ણયથી ઓળખાય છે.

છેલ્લા 21 વર્ષથી વ્યસન નહીં કરવાના નિર્ણય પર અડગ છે ગામ

મહેસાણાથી 35 કિલોમીટર દૂર આવેલા વડનગરના બાદરપુર ગામમાં તમામ જ્ઞાતિ-જાતિના લોકો એકસંપ થઇને રહે છે. આખે-આખા ગામને વ્યસન મુક્ત કરવું એ કોઈ નાનો નિર્ણય નથી પણ ચોક્કસ આને ઐતિહાસિક નિર્ણય કહી શકાય. વર્ષ 1997 આસપાસ આ ગામના એક યુવાનનું વ્યસનના કારણે અકાળે મૃત્યુ થયું હતું. વ્યસનના કારણે આ યુવકનું ગંભીર બીમારીથી મોત નિપજયા બાદ વર્ષ 1997થી 2001ના સમયગાળામાં ગામના 8 જેટલા લોકોને કેન્સરની બીમારી થઈ હોવાનું સામે આવતા ગામના સરપંચ ગુલામ હૈદરે આખા ગામના લોકોને ભેગયા કર્યા અને એક નિર્ણય લીધો. અને આ નિર્ણય એ હતો કે, આજ પછી ગામમાં કોઇએ વ્યસન કરવું નહીં તેમજ કોઇ પણ પ્રકારના ગુટખા, તંબાકું અને બીડી જેવી વસ્તુંનું વેચાણ પણ કરવું નહીં.

સરપંચ દ્વારા સંભળાવવામાં આ નિર્ણયને આખા ગામે વધાવી લીધો. ત્યારબાદ બીજા દિવસે જેટલી ગામમાં જેટલી દુકાનો પર ગુટખા, તંબાકુની વસ્તુઓ હતી એ બધી વસ્તુઓ ગામલોકોએ ખરીદી લીધી અને તેની હોળી કરી દીધી. ત્યારથી લઈને આજ સુધી કોઇ પણ પ્રકારની દંડકીય કાર્યવાહી વગર આજે 21 વર્ષ બાદ પણ બાદરપુર ગામ પોતાના અડિખમ નિર્ણય પર અડગ છે.

સરપંચના આ નિર્ણય બાદ ગામના ખેડૂતોએ પણ તંબાકુની ખેતી કરવાનું બંધ કરી દીધું અને ગામને આ વ્યસનની જાળમાંથી બહાર લાવવામાં મદદ કરી. આ સાથે જ ગામમાં જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે આશરે 40 જેટલી દુકાનો હતી. જે નિર્ણય બાદ આ દુકાનોમાંની અડધી દુકાનો બંધ થઇ ગઇ છે.

રોજની 25 બીડી પીતા આ ગામના વૃદ્ધે એક ઝાટકે છોડી દીધી બીડી

રિપોર્ટ મુજબ ગામમાં વસવાટ કરતા 80 વર્ષીય હબીબભાઈનું કહેવું છે કે, મારી 15 વર્ષની ઉમરથી જ હું બીડી પીતો હતો. મને રોજની 25 બીડી પીવા જોઈતી હતી. પરંતુ ગામજનો દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય બાદ મે પણ બીડી પીવાનું છોડી દીધું છે. બીડી ન છોડવી મારા માટે ઘણી મુશ્કેલ હતી પણ મે છોડી દીધી. આ સાથે જ તેઓ કહે છે કે તમાકુ એક ઝેર છે અને ઝેર જેવું કામ કરે છે.

આ ઐતિહાસિક નિર્ણયને સાંભળીને ગામની બહારથી આવતા લોકો ચોંકી જાય છે

બાદરપુર ગામમાં જો કોઇ વ્યક્તિ બહારથી આવ્યો હોય અને તે દુકાન પર જઇને તંબાકુ કે ગુટખા માંગે તો દુકાનદાર તરફથી જવાબ મળે છે કે, અહીં આવું કઇ નહીં મળે. આ જવાબ સાંભળીને ઘણા લોકો ચોંકી જાય છે. અને જો તેમને વ્યસન વીના ચાલે એમ જ ન હોય તો બાજુના ગામમાં લેવા જવું પડે છે ગ્રામજનોના આ અડગ નિર્ણય પાછળનો હેતુ એટલો જ છે કે, ગામના એક-એક યુવક નિરોગી રહે. આ સાથે જ ગ્રામજનો ઇચ્છી રહ્યાં છે કે, યુવાનોના હિત માટે આવા નિર્ણય દરેક ગામે લેવા જોઇએ.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.