- Gujarat
- જૂનાગઢમાં લગ્ન બાદ પતિએ સંબંધ ન બાંધ્યા, પત્ની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી
જૂનાગઢમાં લગ્ન બાદ પતિએ સંબંધ ન બાંધ્યા, પત્ની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી
ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં એક નવપરિણીત યુગલનો અનોખો કિસ્સો પોલીસ સુધી પહોંચ્યો છે. પોલીસમાં પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ નોંધાવતી વખતે પત્નીએ કહ્યું છે કે, પતિએ લગ્ન કર્યા છે પરંતુ તેને શારીરિક સંબંધ બાંધવામાં રસ નથી. તેઓ હંમેશા તેનાથી દૂર જ ભાગતો રહે છે અને મને સંતુષ્ટ કરતા નથી. આ અંગે નવપરિણીત યુવતીએ જૂનાગઢ જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જૂનાગઢના મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચેલી આ ફરિયાદમાં જણાવાયું છે કે, આ 23 વર્ષીય પરિણીતાના લગ્ન ફેબ્રુઆરી 2022માં પોરબંદરમાં થયા હતા. આનંદ ઉત્સાહ સાથે થયેલા આ લગ્નના બે અઠવાડિયા પછી જ કન્યાને સમજાઈ ગયું કે, તેના પતિને શારીરિક સંબંધોમાં કોઈ રસ નથી. પત્નીનો આરોપ છે કે, જ્યારે પણ તેણે પતિ સાથે સબંધ બાંધવાની કોશિશ કરી તો તેના પ્રયાસો સફળ ન થયા અને પતિ તેનાથી દૂર જ રહેતો હતો. તેણે કોઈ ઉત્સાહ દર્શાવ્યો ન હતો. નવપરિણીતાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પતિએ લગ્ન તો કર્યા હતા, પરંતુ તેની સાથે શારીરિક સંબંધ બાંધીને તેને પત્ની તરીકેનો અધિકાર આપ્યો ન હતો.
નવપરિણીત મહિલાએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે, જ્યારે તેણે તેના પતિના વર્તનની જાણ તેના સાસરિયાઓને કરી તો, તેઓ તેના પર ગુસ્સે થયા અને તેને ઠપકો આપ્યો અને આ બાબતે વધુ ચર્ચા ન કરવા કહ્યું. જ્યારે તેના પતિને ખબર પડી કે, તેણે તેના માતાપિતાને કહ્યું છે, ત્યારે તેણે કથિત રીતે તેને મારી નાખવાની ધમકી આપી હતી.

નવપરિણીત પરિણીતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, તેની સાસુ દહેજની માંગણી કરતી હતી અને તેના પિતાએ તેને લગ્નની ભેટ તરીકે ખાલી કબાડ જ આપ્યો છે તેવું કહીને મહેણાં ટોણા મારતા હતા. એક વખત તેની સાસુએ તેના પર 200 રૂપિયાની ચોરીનો આરોપ પણ લગાવ્યો હતો અને જ્યારે તેણે વિરોધ કર્યો તો તેના પતિએ તેને માર માર્યો હતો. નવપરિણીત મહિલાનું કહેવું છે કે, આ કારણે તે હવે જૂનાગઢમાં તેના માતા-પિતાના ઘરે રહે છે.

