PM મોદીની રાજકોટ મુલાકાત પહેલા BJP સાંસદના નિવેદનથી સૌરાષ્ટ્રમાં ઘમાસાણ

ગુજરાતમાં લોકસભાની બધી 26 સીટો ભાજપના કબ્જામાં છે, પણ લોકસભાની ચૂંટણી પહેલા એવી ચર્ચા શરૂ થઇ છે કે કેટલાંક સાંસદોની ટિકીટ કપાઇ શકે છે. આ વિશે ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. આ બધા વચ્ચે રાજકોટ ભાજના એક સાંસદના નિવેદનને કારણે અત્યારે સૌરાષ્ટ્રના રાજકારણમાં ઘમાસાણ મચી ગયું છે.

રાજકોટના ભાજપના સાંસદ મોહન કુંડારીયાના નિવેદનથી સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસે પણ શિસ્તબદ્ધ પક્ષ ગણાતા ભાજપમાં ચાલી રહેલી જૂથબંધીને આડે હાથે લીધી હતી અને કહ્યું હતું કે જે લોકોના પ્રશ્નો પર ટકેલા છે તે જ ખરેખર લડશે, બાકીના બધા ગાડા નીચે ચાલવાના છે. ભાજપના બે વરિષ્ઠ નેતાઓ વચ્ચેના શબ્દયુદ્ધમાં પાર્ટીએ કોઇ પ્રતિક્રિયા આપી નથી. આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે 27મી જુલાઈના રોજ PM મોદી પોતે રાજકોટની મુલાકાતે છે. આ બધા વચ્ચે મોહનભાઈ કુંડારીયાની સીટ પરથી 2017ની ચૂંટણીમાં જીતેલા કોંગ્રેસના નેતા લલિત કગથરાએ સમગ્ર મામલા પર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે ગુજરાતમાં તમામ 156 ધારાસભ્યો ગાડી નીચે ચાલવા જઈ રહ્યા છે.

સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને રાજકોટના ભાજપના સાંસદ મોહન કુંડારિયા તાજેતરમાં વાંકાનેરના મહારાજા કેસરીદેવ સિંહના સન્માન સમારોહમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણી ગેરહાજર રહ્યા હતા. આ ગેરહાજરીનો લાભ લેતા મોહન કુંડારિયાએ જીતુ સોમાણીનું નામ લીધા વિના જણાવ્યું હતું કે, જો કોઈ કૂતરો ગાડાની નીચે ચાલતો હોય તો જાણે ગાડુ પોતે ખેંચી રહ્યું હોય તેવું માનતો હોય છે.

કુંડારિયાના નિવેદન પર જીતુ સોમાણીએ પણ પ્રતિક્રિયા આપી છે.તેમણે કહ્યું કે,જ્યારે હું 2022 માં જીત્યો ત્યારે કેસરીદેવસિંહ ઝાલા મારા સન્માન સમારોહમાં નહોતા આવ્યા, એટલું હું પણ તેમના કાર્યક્રમમાં હાજર રહ્યો નથી. મોહનભાઈ કુંડારીયાના નિવેદનમાં મારા નામનો ઉલ્લેખ કરાયો નથી. બધાને ખબર છે કે આ એક બિઝનેસ છે.કોઈની ઉંમર થઇ જાય તો કંઈ પણ વિચાર્યા વગર બોલી શકે છે. આંતરિક જૂથવાદ એ મોહન કુંડારિયાની આદત છે.

મોરબી જીલ્લામાંથી આવતા મોહન કુંડારીયા અને જીતુ સોમાણી વચ્ચે ભૂતકાળમાં પણ ઘર્ષણની ઘટનાઓ સામે આવેલી છે. સોમાણીએ અનેક પ્રસંગોએ કહ્યું છે કે રાજકોટને નવો સાંસદ મળશે. મોરબી જિલ્લાના રાજકારણમાં અન્ય અગ્રણી વ્યક્તિઓ કાંતિભાઈ અમૃતિયા, જયંતિ કાવડિયા અને બ્રજેશ મેરજા છે.

ભાજપના આંતરિક શાબ્દિક યુદ્ધ વચ્ચે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત કગથરાએ પણ કટાક્ષ કર્યો છે. કગથરાએ કહ્યું છે કે જ્યારે સત્તાની ચરમસીમા આવી જાય ત્યારે આવા પ્રકારના નિવેદનો સામે આવતા હોય છે. લોકો હવે જોઈ રહ્યા છે અને ભાજપની જૂથબંધી જાહેર મંચ પરથી બહાર આવી રહી છે.

કગથરાએ જણાવ્યું કે મોહનભાઈએ કહ્યું કે ગાડાની નીચે ચાલનાર વ્યક્તિ વિચારે છે કે તે ગાડુ ખેંચી રહ્યો છે. હવે મોહનભાઈએ વિચારવાનું છે કે ગાડુ કોણ ખેંચે છે. કગથરાએ કહ્યું કે હું માનું છું કે આ 156 લોકો છે. તે બધા ગાડાની નીચે ચાલવા વાળા છે. ગાડુ ખેંચનારું બીજું કોઈ છે. કગથરાએ કહ્યું કે ગુજરાતમાં સાંસદો અને ધારાસભ્યોની ગાડી કોઈ બીજું ખેંચે છે. તે બધા તો ગાડાની દિશામાં ચાલનારા છે. કગથરાનો ઇશારો ગુજરાતના 156 ધારાસભ્યો સામે હતો.

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.