તત્કાલીન CM મોદીને ફસાવવા અહેમદ પટેલે તિસ્તાને 30 લાખ આપેલા: ગુજરાત સરકાર

તિસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કરતા રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અનેક ખુલાસા કર્યા છે. સરકારી વકીલે કહ્યું કે અહેમદ પટેલે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરવા માટે તિસ્તાને રૂપિયા આપ્યા હતા.

ગુજરાતના રમખાણો પછી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ફસાવવાના કેસમાં પકડાયેલી  NGOની સંચાલિકા તિસ્તા સેતલવાડને લઇને મોટો ખુલાસો થયો છે. તિસ્તાની જામીન અરજીનો વિરોધ કરીને રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરેલા પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે તિસ્તા સેતલવાડની પુરાવાઓ સાથે છેડછાડ કરવાની ક્ષમતા જ તેને જામીન નકારવાનું સૌથી મોટું કારણ હોવું જોઇએ.

રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું હતું કે તેની સામે પુરાવા પણ મળ્યા છે કે તેણે ખોટા પુરાવા બનાવ્યા હતા. સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે સેતલવાડને 2002ના ગુજરાત રમખાણો પછી નરેન્દ્ર મોદી સરકારને ઉથલાવી પાડવા માટે કોંગ્રેસના નેતા અહેમદ પટેલે 30 લાખ રૂપિયા આપ્યા હતા.

સરકારી વકીલ મિતેશ અમીને ન્યાયાધીશ નિરજાર દેસાઇની કોર્ટમાં કોંગ્રેસના નેતા અહેમદ પટેલનું નામ લઇને રજૂઆત કરી હતી કે સેતલવાડ અમુક રાજકીય પક્ષોના રાજકારણીઓની કઠપુતળી બની ગઇ હતી.અહેમદ પટેલનું  2020માં નિધન થયું હતું.

સરકારી વકીલ મિતેશ અમીને કોર્ટને આગળ કહ્યુ કે તિસ્તા સેતલવાડે તે પછી પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને સેવામાંથી નિવૃત થયેલા DGP આર બી. શ્રીકુમારને આ ષડયંત્રનો હિસ્સો બનાવ્યા હતા. આ બંને સહ આરોપી છે. આ ષડયંત્રનો હેતું વર્ષ 2002માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ફસાવવાનો અને તેમની ઇમેજ ખરડાવવાનો હતો.

ગુજરાતના રમખાણોના મામલે ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપી હતી. ગુજરાતના રમખાણોમાં મોતને ભેટેલા કોંગ્રેસના સાંસદ અહેસાન જાફરીની પત્ની જાકિયા જાફરી દ્રારા દાખલ કરેલી અરજીને કોર્ટે રદ કરીને કહ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સામે કોઇ પણ પુરાવા નથી.

આ પહેલાં પણ ગુજરાત સરકારે સેશન કોર્ટમાં આ જ વાતનો આધાર આપીને તિસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે કોર્ટમાં એક સાક્ષી રઇસ ખાનનો ઉલ્લેખ કરીને કહ્યુ હતું કે, રઇસ ખાને પણ તીસ્તા સેતલવાડ ષડયંત્રનો હિસ્સો હોવાનું કહ્યું હતું. રઇસ ખાને તેના નિવેદનમાં કહ્યું હતું કે, અમદાવાદના સર્કિટ હાઉસમાં અહેમદ પટેલ અને તિસ્તા સેતલવાડની મુલાકાત થઇ હતી. ચાર્જશીટમાં તિસ્તા સેતલવાડને 30 લાખ રૂપિયા મળ્યા હોવાની વાત કહેવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.