શું મન કી બાતના એક એપિસોડ પાછળ 8 કરોડ ખર્ચ થાય છે? ઇસુદાન ગઢવી સામે FIR દાખલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનો 30 એપ્રિલે 100મો એપિસોડ હતો અને ભાજપના નેતાઓએને કારર્યકરોએ દેશભરમાં ઉજવણી કરી હતી. PM મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના મનની વાત કહેવામાં આમ આમદી પાર્ટી, ગુજરાતના પ્રમુખ ઇસુદાન ગઢવી ભેરવાઇ ગયા છે. તેમણે ટ્વીટ કરીને પ્રધાનમંત્રી મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમમાં 830 કરોડ રૂપિયા ખચાર્યા હોવાની વાત કરી હતી. આની સામે અમદાવાદ સાયબર ક્રાઇમે ઇસુદાન ગઢવી સામે ફરિયાદ દાખલ કરી છે. ભારે હોબાળો થવાને કારણે ઇસુદાને ટ્વીટ ડિલીટ કરી નાંખી હતી.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)તેના  FACT CHECKમાં કહ્યું છે કે આ દાવો ભ્રામક છે અને ગેરમાર્ગે દોરનારો છે. 8.3 કરોડ રૂપિયાએ મન કી બાત માટે અત્યાર સુધીની જાહેરાતોનો કુલ આંકડો છે. માત્ર સિંગલ એપિસોડ માટે નહી. ટ્વીટમાં એવી ધારણા બતાવવામાં આવી છે કે દરેક એપિસોડ જાહેરાત દ્રારા સમર્થિત છે, જે ખોટું છે.

પોલીસે કહ્યું હતું કે ઇસુદાનના ટ્વીટમાં પ્રધાનમંત્રી વિશે જે વાત કહેવામાં આવી છે તે પાયાવિહોણી અ પુરાવા વગરની છે. અમદાવાદ સાયબર ક્રાઇમે ઇસુદાન ગઢવી સામે ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.

એક તરફ ગુજરાતમાં માંડ માંડ પગ પેસારો કરી રહેલી આમ આદમી પાર્ટીના સુરતના 27 કોર્પોરેટરમાંથી 12 કોર્પોરેટર ભાજપમાં ચાલ્યા ગયા છે અને એક કોર્પોરેટરને સસ્પેન્ડ કરવાની નોબત ઉભી થઇ છે એવા સમયે ઇસુદાનનું આ ટ્વીટ પડતા પર પાટું સમાન છે.

ઇસુદાને ટ્વીટ કર્યા પછી દેશભરમાં હોબાળો મચી ગયો હતો અને એ પછી તેમણે ટ્વીટ ડિલીટ કરી નાંખ્યું હતું. ઇસુદાન ગઢવી જેવા જવાબદાર નેતા અને તેઓ પત્રકાર પણ રહી ચૂક્યા છે ત્યારે પુરાવા વગર પ્રઘાનમંત્રી જેવી વ્યકિત સામે આક્ષેપ કરવા તેમના માટે શોભાસ્પદ નથી. ઇસુદાનના આ ટ્વીટને કારણે આમ આદમી પાર્ટી પણ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે.

ઇસુદાન ગઢવીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ દ્રારકાથી ચૂંટણીની ટિકીટ આપી હતી અને તેમને મુખ્યમંત્રીના ચહેરા તરીકે પણ જાહેરાત  કરવામાં આવી હતી, પરંતુ આ ચૂંટણી તેઓ જીતા શક્યા નહોતા. આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવીને અત્યારે પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના  ‘મન કી બાત’ કાર્યક્રમના 100માં એપિસોડને ભાજપના ગુજરાતના નેતાઓએ પણ મોટા પાયે ઉજવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.