અખિલ ભારતીય સંત સમિતિનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો

અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ મહંત રાજેદ્રાનંદગિરિ મહારાજના પાલનપુર આનંદધામ આશ્રમમાં 1 ઓકટોબર, રવિવારે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ જગદગુરુ કૈવલ જ્ઞાન પીઠાધીશ સપ્તમ કુબેર આચાર્ય અચિવલદેવાચાર્ય મહારાજના પ્રમુખપદે રૂણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવમાં આવ્યું હતું. જેમાં 350 સંત અને 250થી વધારે પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા.

અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ મહામંડલેશ્વર દિલીપ દાસજી મહારાજ, મહામંડલેશ્વર અવધ કિશોરદાસ, હિંદુ ધર્મ સેનાના સંયોજક માનસરોવરદાસ બાપુ, અમર ભારતી બાપુ, વિજયસોમ મહારાજ, બલોલના ગોપાલદાસજી મહારાજ, કઠવાડાના રામજી મંદિરના યોગેશ દાસ બાપુ, જાણીતા કથાકાર ગીતા દીદી, અખિલ ભારતીય સંત સમિતિના સંયોજક અરવિંદભાઇ બ્રહ્મભટ્ટ, બનાસકાંઠા લોકસભા સાંસદ પરબત પટેલ, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઇ, બનાસ બેંકના અધ્યક્ષ સવસી ચૌધરી, ભાજપના જિલ્લાધ્યક્ષ કિર્તિરાજ સિંહ, મહામંત્રી અમરિશ પુરી, પાલનપુર નગર પાલિકાના અધ્યક્ષ ચમનલાલ સોલંકી, પૂર્વ ધારાસભ્ય રેખાબેન, પાલનપુર સંઘ વિચાર પરિવારના વિવિધ ક્ષેત્રના પદાધિકારી દર્શન બનાસકાંઠા જિલ્લા વિરક્ત સંત સેવા મંડળના મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરાંત અખિલ ભારતીય સંત સમિતિના બનાસકાંઠા જિલ્લાની સમિતિ અને હિંદુ ધર્મ સેના જિલ્લાધ્યક્ષ અશોક પુરોહિત અને ધર્મ સમાજના જિલ્લાધ્યક્ષ લલિત વાઘેલા અને તેમની ટીમની પણ હાજરી રહી હતી.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રદેશ પ્રમુખ અને વિશેષ મહાનુભાવોએ રાજેન્દ્રનંદગીરીજી મહારાજનું અભિવાદન કર્યું હતું અને હિન્દુ સમાજની વિવિધ સંસ્થાઓએ તેમનું સન્માન કર્યું હતું. તે એક અસરકારક અને પ્રેરણાદાયી કાર્યક્રમ રહ્યો હતો.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.