ભાજપમાં બધું સમુસુથરુ નથી,ગુજરાતમાં વધુ એક પ્રદેશ નેતાનું રાજીનામું

લોકસભા 2024ની ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપમાં છેલ્લાં કેટલાંક સમયથી જે આંતર કલહ ઉભો થયો છે તે હજુ થાળે પડ્યો હોય તેવું લાગતું નથી. ગુજરાતમાં ડેમેજ કંટ્રોલ વચ્ચે વધુ એક પ્રદેશ નેતાના રાજીનામાને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. આનો મતલબ એ થાય છે કે ભાજપમાં હજુ બધુ સમુસુથરું નથી. જો કે આ પ્રદેશ નેતાનું રાજીનામું હજુ સ્વીકારાયું ન હોવાનું જાણવા મળ્યું છે.

શિસ્તની પાર્ટી ગણાતી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક બેઠકો મેળવનાર અને છેલ્લાં 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરનાર ભાજપમાં અત્યારે આતંરિક ડખો વધી ગયો છે. હજુ થોડા સમય પગેલા પ્રદિપ સિંહ વાઘેલા અને ભાર્ગભ ભટ્ટ જેવા દિગ્ગજ નેતાઓના રાજીનામા પછી હવે મહેસાણાના નેતા પંકજ ચૌધરીએ રાજીનામું આપી દીધું છે.

પંકજ ચૌધરી પ્રદેશ સંગઠનમાં મહામંત્રી અને સાથે યુવા મોર્ચાના પ્રભારી તરીકે જવાબદારી સંભાળતા હતા. જો કે પંકજ ચૌધરીનું કહેવું છે કે તેમણે તો દોઢેક મહિના પહેલાં જ પારિવારિક કારણોસર રાજીનામું આપી દીધું છે.

ભાજપના સૂત્રોના કહેવા મુજબ પંકજ ચૌધરીનું રાજીનામું હજુ સ્વીકારવામાં આવ્યું નથી. જો કે બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચૌધરી પાસે રાજીનામું માંગી લેવામાં આવ્યું છે.

સવાલ એ છે કે શિસ્તની પાર્ટી અને સૌનો સાથ સૌનો વિકાસનું ચિત્ર બતાવનારી ભાજપમાં એવું તે શું થયું છે કે ધડાધડ રાજીનામા પડી રહ્યા છે. હજુ થોડા સમય પહેલા ભાજપમાં પત્રિકા કાંડ ગાજયું હતું અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સામે ગંભીર આરોપો કરતી પત્રિકાઓ ફરતી થઇ હતી. પત્રિકા કાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે કેટલાંક લોકોની ધરપકડ પણ કરી છે અને ભાજપના મોટા ચહેરાઓ પણ ખુલ્લાં પડી ગયા હતા, પરંતુ થોડા સમય પછી બધું શાંત પડી ગયું.

એ પછી જામનગરામાં ધારાસભ્ય અને સાંસદ વચ્ચે શાબ્દિક ટપાટપીનો ઇશ્યૂ ઉભો થયો. જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને સાંસદ પૂનમ માડમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જો કે બીજા દિવસે આ મામલો થાળે પાડી દેવામાં આવ્યો હતો.

ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા સી આર પાટીલના નજીકના નેતા ગણાતા હતા, પરંતુ પ્રત્રિકા કાંડમાં તેમનો ભોગ લેવાઇ ગયો હતો. એ પછી વડોદરના ભાર્ગવ ભટ્ટે પણ રાજીનામું આપ્યું હતું.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.