માનતા પુરી થતા MLAના શપથ પછી અલ્પેશ ઠાકોર પત્ની સાથે આસામ પહોંચ્યા

ગાંધીનગર દક્ષિણ બેઠક જીતીને ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોર ગુજરાતના રાજકારણમાં જાણીતો ચહેરો છે, પરંતુ 2019ની રાધનપુર પેટાચૂંટણીમાં તેમની હારથી તેમના વર્ચસ્વ પર સવાલો ઉભા થયા હતા. હવે અલ્પેશ ઠાકોર ફરી ધારાસભ્ય બન્યા છે ત્યારે તેઓ પોતાની ઈચ્છા પૂરી થવા પર માતાના દરબારમાં હાજરી આપવા પહોંચ્યા છે. શપથ ગ્રહણ અને એક દિવસનું વિધાનસભા સત્ર પૂરું થયા બાદ અલ્પેશ ઠાકોર આસામ તરફ ગયા હતા અને ત્યાં પહોંચીને માતાના દરબારમાં હાજરી લગાવી હતી. અલ્પેશ ઠાકોર 21મીએ પત્ની સાથે મંદિરે પહોંચ્યા અને માતાને પ્રણામ કર્યા હતા.

અલ્પેશ જ્યારે ગાંધીનગર દક્ષિણમાંથી ચૂંટણી લડ્યા ત્યારે બહારના વ્યક્તિ હોવાના આરોપોનો સામનો કરવો પડ્યો હતો, જોકે બાદમાં સારા માર્જિનથી તેમનો વિજય થયો હતો. અલ્પેશ ઠાકોર 2017ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા પહોંચ્યા હતા. આ પછી તેઓ BJP તરફ વળ્યા હતા. જેના કારણે પેટાચૂંટણી યોજાઈ હતી. આમાં તેમનો પરાજય થયો હતો. સામાજિક કાર્યકરમાંથી રાજનેતા બનેલા અલ્પેશ ઠાકોરને OBC રાજકારણનો ઉભરતો ચહેરો માનવામાં આવે છે. આસામમાં મા કામાખ્યા શક્તિપીઠના દર્શન અને આશીર્વાદ લીધા બાદ અલ્પેશ ઠાકોરે ટ્વીટ કરીને લખ્યું, 'આસામમાં મા કામાખ્યા શક્તિપીઠના આશીર્વાદ લીધા અને દરેકના સુખાકારી માટે પ્રાર્થના કરી.' તસવીરમાં તેમની પત્ની કિરણ પણ હાજર છે. અલ્પેશ ઠાકોરના લગ્ન ત્રિવેદી બ્રાહ્મણ પરિવારમાં થયા છે. અલ્પેશ ઠાકોર આસામના CM હિમંતા બિસ્વા સરમાને પણ મળ્યા હતા અને તેમની સાથેનો ફોટો પણ ટ્વીટ કર્યો હતો.

જ્યારે બીજી વખત CM ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા ત્યારે અલ્પેશ ઠાકોરનું નામ મંત્રીપદ માટે સામે આવ્યું હતું, પરંતુ અલ્પેશ ઠાકોરને નાની કેબિનેટમાં સ્થાન મળી શક્યું નથી. જો વિસ્તરણ થશે તો તેમના માટે પણ શક્યતાઓ ઉભી થઈ શકે છે, તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. ભૂપેન્દ્ર કેબિનેટમાં સૌથી વધુ પાંચ મંત્રીઓ OBC કેટેગરીના છે. તેઓ લાંબા સમયથી તેમના સમાજની માંગણીઓ માટે લડી રહ્યા છે, આ માટે તેમણે ઠાકોર સેનાની રચના પણ કરી હતી. અલ્પેશ ઠાકોર પોતાના સમાજના લોકોને નશાના સેવનથી દૂર રાખવા માટે એક અભિયાન પણ ચલાવી ચુક્યા છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.