અંબાલાલ પટેલની ફરી માવઠાની આગાહી, આ 3 દિવસ સુધી કમોસમી વરસાદ પડશે

છેલ્લાં કેટલાંક દિવસોથ કમોસમી વરસાદને કારણે ખેડુતોને નુકશાનીની કડ વળી નથી ત્યાં હજુ 3 દિવસ માવઠા રહેવાની આગાહીને કારણે ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 26 માર્ચ, 27 માર્ચ અને 28 માર્ચ એમ 3 દિવસ કમોસમી વરસાદ પડશે. ખેડુતોને માવઠાને કારણે લાખો રૂપિયાનું નુકશાન થયું છે.

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે એક મહિના અગાઉ માર્ચ મહિનામાં માવઠાની આગાહી કરી હતી અને એ સાચી પડી હતી. માર્ચ મહિનામાં કમોસમી વરસાદે આખા રાજ્યમાં રમણ ભ્રમણ કરી નાંખ્યું છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતનો ભાગ્યેજ કોઇ વિસ્તાર હશે જ્યાં કમોસમી વરસાદ ન પડ્યો હોય. હવે અંબાલાલ પટેલે ફરી 26થી 28 માર્ચે માવઠાની આગાહી કરી છે. સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતમાં છેલ્લાં એક વર્ષથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. કેટલાંક શહેરોમાં તો ચોમાસામાં પડે તેવો વરસાદ પડ્યો હતો.

જો કે હવામાન વિભાગની આગાહી તો એવી છે કે આગામી 4 દિવસ હવામાન સુકુ રહેશે. જો કે સાથે હવામાન વિભાગનું એ પણ માનવું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન હજુ આવી શકે અને 29 માર્ચે ફરી વાદળો આવવાની શક્યતા છે.

તો બીજી તરફ અંબાલાલ પટેલનું કહેવું એમ છે કે અરબી સમુદ્ધ તરફનો ભેજ ગુજરાત તરફ આવશે, દરિયામાં મોજાના ઉછાળા આવશે અને ભારે પવન ફુંકાશે. આ બધાની અસરને કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં હળવું માવઠું રહેવાની શક્યતા છે.

અંબાલાલ પટેલનું એમ પણ કહેવું છે કે આ માવઠું માત્ર માર્ચ મહિના પુરતુ જ રહેશે એવું નથી, એપ્રિલ મહિનામા પણ કમોસમી વરસાદ પડશે. તેમણે કહ્યું છે કે, એપ્રિલના પહેલા સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ- સૌરાષ્ટ્રમાં માવઠું રહેશે. મહિનામાં પવનના સુસવાટા વધશે અને 20 એપ્રિલ પછી ગરમી વધશે. અમુક વિસ્તારોમા તો  45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જશે.

ભર ઉનાળાની સિઝનમાં આ વખતે કમોસમી વરસાદને કારણે ખેડુતોના અનેક પાકને નુકશાન થયું છે. બનાસકાંઠાના ખેડુતોને કમોસમી વરસાદ પછી ખેતરમાં ઇયળનો ઉપદ્રવ વધી ગયો છે અને ઇયળને કારણે લાખો રૂપિયાના નુકશાનનો સામનો કરવો પડી રહ્યો છે.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.