અંબાલાલ પટેલની વધુ એક આગાહી, એપ્રિલ અને મે મહિનામાં માર્ચથી વધારે પડશે માવઠું

ગુજરાતીઓ માટે માર્ચ મહિનો માવઠા અને વાદળવાળો હ્યો. આખા માર્ચ મહિનામાં વાદળછવાયું વાતાવરણ રહ્યું અને વરસાદ પડતો રહ્યો, પરંતુ જો તમે એવુ વિચારતા હોવ કે હવે એપ્રિલ મહિનો સારો જશે તો ભૂલી જજો. એપ્રિલ મહિનાલે લઇને પણ ખતરનાક આગાહી આવી ગઈ છે. એપ્રિલ-મે મહિનો પણ સુકો નહીં જાય. એપ્રિલ અને મે મહિનામાં વારંવાર પશ્ચિમી વિપેક્ષો આવતા રહેશે, જેને કારણે આ બંને મહિનામાં આંધી અને વંટોળ સાથે વરસાદ વરસી શકે છે તેવી આગાહી સામે આવી છે. જો કે, તેના બાદ 7 મેથી ગુજરાતમાં ગરમી અનુભવાશે.

હવામાનના એક્સપર્ટ અંબાલાલ પટેલે આ મહિનાઓની આગાહી કરતા જણાવ્યું કે, 3 એપ્રિલથી રાજ્યના કેટલાક ભાગમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ગુજરાતના માથે ફરી માવઠાનું સંકટ આવશે. એપ્રિલ 23-30 સુધીમાં પણ માવઠાનું સંકટ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતમાં વારંવાર માવઠાનું સંકટ વધ્યું છે. 22-25 મે સુધીમાં આંધી-વંટોળ સાથે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં વારંવાર માવઠું થઈ રહ્યું છે. ક્યાંક વરસાદ, ક્યાંક આંધી-વંટોળ તો કોઈ ભાગોમાં કરા પડી રહ્યા છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, શુક્ર ગ્રહના રાશિ, નક્ષણ સંયોગ જોતા 3 એપ્રિલથી ગુજરાત અને સમગ્ર દેશમાં ફરીથી વાતાવરણમાં પલટો આવશે. વરસાદ આવતા વાતાવરણમાં વધઘટ થવાની શક્યતા છે. 5-6 એપ્રિલ દરમિયાન પવન અને વંટોળ રહેશે. 6-10 એપ્રિલ દરમિયાન ઉત્તર, મધ્ય ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં હવામાન પલટાશે. 15 એપ્રિલ સુધીમાં ગુજરાત-સૌરાષ્ટ્રના વિવિધ ભાગમાં આંધી, વંટોળ આવશે. અહી વરસાદ પણ નોંધાશે. 23-30 એપ્રિલ દરમિયાન ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. 2-25 મે સુધી આંધી, વંટોળ અને વરસાદની સંભાવના છે

આફ્રિકાના ઉત્તરે આવેલા ભૂમધ્ય સાગરમાં વંટોળ ઉદ્દભવતા રહે છે. આ કારણે દરિયા પર એકઠા થતા વાદળો, ભારતીય ઉપખંડના ઉત્તર પસ્ચિમ ભાગોમાં હિમાલયથી લઈને ગુજરાત સુધીના ભાગોમાં વિખેરાય છે. જેના કારણે વાતાવરણમાં પલટો આવે છે. આફ્રિકાના વંટોળ ભારતના વાતાવરણને ડિસ્ટર્બ કરે છે. તેથી આ દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદ પડશે આ 2023ના વર્ષે ચોમાસામાં 94-95 ટકા જ વરસાદ પડશે. હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેની આગાહી કરી છે. તેમણે એપ્રિલ અને મે મહિનામાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે.

કોણ છે અંબાલાલ પટેલ?

અંબાલાલ પટેલે 1980મા આગાહીની શરૂઆત કરી અને પછી વરસાદની આગાહીઓ સાચી પડવા લાગી ત્યારબાદ અંબાલાલનું નામ પણ ધીરે-ધીરે લોકોના હોઠ પર રમવા લાગ્યું. જોકે, આજે તો કોઈ એવું નહીં હોય જે અંબાલાલને ન ઓળખતું હોય. ત્યારબાદ અંબાલાલ ધીરે ધીરે ન્યૂઝ પેપરમાં પણ પોતાની આગાહીઓ લખતા થયા. અલગ-અલગ 15 ન્યૂઝ પેપરમાં તેમની આગાહીઓ છપાતી હતી. જેમાં સંદેશનું બપોરનું આવતું સેવક અખબાર, જનસત્તા, ગુજરાત સમાચાર, પ્રભાત, જયહિંદ, અંગેજી પેપર વગેરે અલગ-અલગ 15 ન્યૂઝ પેપરમાં ગુજરાતીઓ અંબાલાલ પટેલની આગાહીઓ વાંચતા હતા.

ત્યારબાદ અંબાલાલ પટેલે ઠંડી અને ગરમી વિશે પણ આગાહી કરવાનું શરૂઆત કરી અને 5 વર્ષ બાદ એટલે કે 1985થી અંબાલાલે વરસાદની સાથે સાથે ગરમી અને ઠંડીની આગાહીઓ કરવાનું પણ શરૂ કર્યું. 1980થી લઈને 2023 સુધી હજુ અંબાલાલની આગાહીઓ થતી આવી છે અને સાચી પણ પડતી આવી છે. અંબાલાલ કહે છે કે હજુ મારી અમુક આગાહીઓ ખોટી પડે છે જેના કારણે મારે વધારે અભ્યાસ કરવાની જરૂર છે અને હું કરતો પણ રહું છું.સરકાર પણ અંબાલાલ પટેલને ઘણી વખત આગાહી કરવા બોલાવતા, ન્યૂઝ ચેનલો વાળા પણ હાલમાં અંબાલાલ પટેલને આગાહી અંગે વારંવાર બાઈટ લેવા માટે પડાપડી કરતા હોય છે.

જ્યારે નોકરી ચાલું હતી ત્યારે અંબાલાલ પટેલે અનેક વખત સરકાર વતી આગાહી કરેલી છે. બિન અધિકૃત રીતે અંબાલાલે સરકારમાં ખુબ આગાહી કરી અને સેવા આપી છે. જ્યારે અમે સવાલ કર્યો કે જો હાલમાં સરકાર તમને હવામાન શાસ્ત્રી તરીકે નોકરી પર રાખે અથવા ઓફર કરે તો તમે જાઓ ખરા? ત્યારે અંબાલાલ કહે છે કે ના મારી કોઈ ઈચ્છા નથી અને હું જઈ શકું એવી હાલતમાં પણ નથી એ સરકાર પણ જાણે છે.

About The Author

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.