બિપરજોયનું સંકટ ટળ્યું ત્યાં અંબાલાલ પટેલે બીજી આગાહી કરીને ટેન્શનમાં લાવી દીધા

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આકાશી આફતની આગાહી કરી છે જે ખેડુતો માટે ચિંતા ઉભી કરનારી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, ગુજરાતાં 21 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે.

હજુ તો ગુજરાત પર ‘બિપરજોય’ વાવાઝોડોનું સંકટ માંડ ટળ્યું છે ત્યાં ફરી એક વખત હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ગુજરાતના આકાશમાંથી વધુ એક આફત આવવાની આગાહી કરતા ખેડુતોમાં ચિંતા ફેલાઇ ગઇ છે. સાથે સાથે અંબાલાલ પટેલે ગુજરાતમાં ક્યારથી સત્તાવાર ચોમાસાની શરૂઆત થશે તેના વિશે પણ વાત કરી છે

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતાં 21 જૂનથી વિધીવત રીતે ચોમાસાની શરૂઆત થશે. સાથે તેમણે એક ચોંકાવનારી આગાહી એ કરી છે કે રાજ્યમાં ભારે વરસાદને કારણે જાનમાલને નુકશાન થવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, મૃગશેષ નક્ષત્રમાં વરસાદ થવાને કારણે વાવેતર કરેલા પાકમાં કાતરા પડવાની સંભાવના છે, જેની સાયરલ 27 દિવસ ચાલશે.

કાતરા એટલે  અંગ્રેજીમાં Caterpillar તરીકે ઓળખાતી ઇયળ. આ ઇયળ કૃષિમાં જંતુ તરીકે માનવામાં આવે છે. આ ઇયળ ફળો અને ખેત પેદાશોને ભારે નુકશાન પહોંચાડે છે કાતરા જીવજંતને એકદમ ખાઉધરા માનવામાં આવે છે અને આખે આખા ઉભા પાકને કોરી ખાય છે. સાથે અંબાલાલ પટેલે કહ્યું કે રાજસ્થાનના રણમાં તીડની ઉત્પત્તિ થવાની પણ સંભાવના છે,જેની પણ ગુજરાત પર અસર થઇ સકે છે. તેમણે કહ્યુ કે, અષાઢ સુદ બીજ રથયાત્રાના દિવસે વાદળો રહેવાની સંભાવના છે.

અંબાલાલ પટેલે કહ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાનં કારણે આ વર્ષે ચોમાસાની પેટર્નમાં બદલાવ જોવો મળ્યો છે. અરબ સાગરમાંથી ઉભા થયેલા ચક્રવાતને કારણે કેરળમાં ચોમાસાની શરૂઆતમાં વિલંબ થયો હતો. વરસાદ વચ્ચે વાવાઝોડું વિઘ્ન આવી જતા આખા દેશમાં ચોમાસા પર અસર પડી છે.

જો કે તેમણે એક સારી વાત એ કરી છે કે આગામી જુલાઇ મહિના સુધી વરસાદ ચોમાસાની પેટર્ન મુજબ જ પડશે. આ વર્ષે પુરતો વરસાદ પડવાની પણ સંભાવના તેમણે વ્યકત કરી છે. તેમણે કહ્યુ કે, ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત  ટળી ગઇ છે, પરંતુ  હજુ પણ તેની અસરના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવે ચોમાસાનો માર્ગ મોકળો બનશે.

અંબાલાલ પટેલે કહ્યુ કે, ગુજરાતમાં વિધિવત ચોમાસું 21 જૂનથી બેસશે, પરંતુ 26 જૂન પછી ચોમાસું સક્રીય બનશે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.