અમિત શાહના પૂર્વ વકીલ હવે રાહુલ ગાંધી કેસમાં જજ, એન્કાઉન્ટર કેસમાં વકીલાત કરેલી

મોદી સરનેમ માનહાનિ કેસમાં સુરતની કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી હતી અને તે પછી તેમનું સંસદ પદ છીનવાયું હતું. એ પછી રાહુલ ગાંધીએ 3 એપ્રિલે સેશન્સ કોર્ટમાં પિટિશન દાખલ કરીને પોતાની સજા પર રોક લગાવવા માટે અપીલ કરી હતી, જેની સુનાવણી 13 એપ્રિલે એડિશનલ સેશન્સ જજ રોબિન મોગેરાએ કરી હતી. રોબિન મોગેરા એ વ્યક્તિ છે જે એક સમયે ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વકીલ હતા.

 જજ રોબિન મોગેરા એક સમયે અમિત શાહના વકીલ રહી ચૂક્યા છે એ વિશે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. ન્યાયાધીશ રોબિન મોગેરા તુલસી પ્રજાપતિ ફેક એનકાઉન્ટર કેસમાં અમિત શાહના વકીલ હતા. વર્ષ 2006માં ચર્ચિત તુલસી પ્રજાપતિ એનકાઉન્ટરની ઘટના બની હતી. અમિત શાહનો કેસ રોબિન મુગરાએ CBI કોર્ટમાં લડ્યો હતો.

 અત્યારે રાહુલ ગાંધીની અપીલ પર 13 એપ્રિલે સુનાવણી કરવાના છે તે જજ રોબિલ પોલ મોગેરા એક જમાનામાં ગુજરાતમાં કાબિલ વકીલ તરીકેની નામના ધરાવતા હતા. તેમના ક્લાયન્ટસમાં અમિત શાહ જેવા હાઇપ્રોફાઇલ નામ હતા. ગુજરાત હાઇકોર્ટ તરફથી 28 ડિસેમ્બર 2017ના દિવસે જારી કરેલા નોટીફિકેશન મુજબ તેમની જિલ્લા જજ તરીકે પસંદગી કરવામાં આવી હતી. વકીલો માટે નિર્ધારીત 25 ટકા કોટા હેઠળ તેમની પસંદગી કરવામાં આવી હતી. એના માટેની પરીક્ષામાં જજ મોગેરાએ 250માંથી 147.33 માર્ક મેળવીને ટોપ કર્યું હતું.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 2019ના માનહાનિ કેસમાં તેમની દોષિત અને બે વર્ષની જેલની સજા સામે અપીલ દાખલ કરી છે. બાર એન્ડ બેન્ચના જણાવ્યા અનુસાર, જસ્ટિસ મોગેરાએ ગુરુવારે, 13 એપ્રિલના દિવસે રાહુલ ગાંધીની લોકસભામાંથી તેમની ગેરલાયકાતને દૂર કરવા માટે તેમની દોષિત ઠરાવ પર સ્ટે મૂકવાની માંગ કરતી અરજીની ખાસ સુનાવણી કરી હતી અને 20 એપ્રિલે ચુકાદો આપવાનું કહ્યું હતું.

એક અંગ્રેજી વેબસાઇટના જણાવ્યા મુજબ ન્યાયાધીશ મોગેરા, જેમને જાન્યુઆરી 2018માં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરાયા હતા, તેમણે વર્ષ 2006માં નકલી એનકાફન્ટરના કેસમાં અમિત શાહનો બચાવ કર્યો હતો ત્યારે નેશનલ લેવલે તેમનું નામ ચમક્યું હતું. જજ રોબિન મોગેરા  લગભગ 2014 સુધી અમિત શાહના વકીલ રહ્યા હતા. જાણવા મળેલી વિગત મુજબ જજ રોબિન મોગેરાએ વર્ષ 2011માં ગુજરાતના ગુલબર્ગ કાંડના આરોપીઓનો પણ કેસ લડ્યો હતો.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.