MLAની હત્યામાં દોષિત અનિરુદ્ધસિંહને 24 કલાકમાં સજાની માફી મળતા જેલ IGને નોટિસ

1988માં શાળામાં સ્વતંત્રતા ઉત્સવની ઉજવણી દરમિયાન કોંગ્રેસના ગોંડલના ધારાસભ્ય પોપટ સોરઠીયાની અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. પોલીસે સ્થળ પરથી આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ કરીને તેની સામે ગુનો દાખલ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો.

અનિરુદ્ધસિંહ જાડેજા પર ટાડા હેઠળના ગુના લાગેલા છે. અનિરુદ્ધસિંહ જાડેજાને કોર્ટે ગોંડલના ધારાસભ્ય પોપટ સોરઠીયાની હત્યાના ગુનામાં દોષિત ઠેરવ્યા બાદ અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરાએ 29 જાન્યુઆરીના રોજ સજા માફી કરવા માટેની એક અરજી કરી હતી. ત્યારે આ અરજીને જેલ વિભાગના IGએ સ્વીકારીને સજા થયાના 24 કલાકમાં સજામાંથી માફી આપી દીધી હતી. જેના કારણે CBIની તપાસ માગતી પીટીશન અંગે હાઈકોર્ટે કેન્દ્રીય અને રાજ્યના ગૃહ વિભાગ તથા રાજ્યના જેલ વિભાગના IGને નોટીસ પાઠવી છે.

ઉલ્લેખનીય છે કે, અરજદાર એમ. આર. ગુપ્તાએ હાઈકોર્ટમાં રીટ અરજી કરીને રાવ કરી હતી કે, જુનાગઢની જેલમાં સજા કાપી રહેલા અનિરુદ્ધસિંહ જાડેજાને તબીબી સારવાર અને અલગ-અલગ સુવિધાઓના નામ પર રાજકોટની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવે છે. આ સાથે સાથે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અનિરુદ્ધસિંહ જાડેજાને બે મહિના સુધી રાજકીય રેલીઓમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી રહી છે. આ સાથે સાથે અરજદારનો આક્ષેપ હતો કે, જુનાગઢ જેલના તબીબી અધિકારીઓ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાની રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હૃદય અને ન્યુરોલોજીકલ બીમારીના ઉપચારની કોઈ પણ વિગત દર્શાવવામાં આવી ન હતી.

About The Author

Top News

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.