આસારામે કોર્ટના નિર્ણયને પડકાર્યો, કહ્યું- સજા પર રોક લગાવો, મારી તબિયત સારી નથી

PC: firstpost.com

રેપના કેસમાં સજા ભોગવી રહેલા આસારામે ગાંધીનગર સેશન્સ કોર્ટના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર આપ્યો છે. તેણે કહ્યું કે, તેની સજા પર રોક લગાવવામાં આવે કેમ કે, તેની તબિયત સારી નથી. આ કેસમાં આગામી દિવસોમાં સુનાવણી થશે. આસારામને ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. આસારામ પર પોતાની સાધ્વીઓ સાથે બળાત્કારના આરોપમાં સજા સંભળાવવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે, ગુનાની પ્રકૃતિને જોતા આસારામ સહાનુભૂતિ પાત્ર નથી.

કોર્ટે કહ્યું હતું કે, તેની ઉંમર અને ખરાબ સ્વાસ્થ્યના આધાર પર બચાવને કાયદેસર માની શકાય નહીં. જજે પોતાના આદેશમાં કહ્યું કે, સમાજના ધાર્મિક લોકોના શોષણ રોકવા માટે આ પ્રકારના જઘન્ય ગુનાઓના દોષીઓને છોડી નહીં શકાય અને તેમને કાયદા દ્વારા નિર્ધારિત પૂરી સીમા સુધી દંડિત કરવા જોઈએ. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, આસારામે પોતાની દીકરી કરતા પણ નાની ઉંમરની પીડિતાનું યૌન શોષણ કર્યું અને એવો ગુનો કર્યો જેને હલકામાં નહીં લઈ શકાય.

કોર્ટે કહ્યું કે, એ ન માત્ર સમાજની, પરંતુ કોર્ટની પણ નૈતિક જવાબદારી બની જાય છે કે તે એક ઉદાહરણ રજૂ કરે અને આ પ્રકારના વ્યવહારને રોકે. મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની આપણાં બધાની જવાબદારી છે. આપણાં સમાજમાં એક ધાર્મિક નેતાને એક એવા વ્યક્તિ માનવામાં આવે છે, જે ઈશ્વર પ્રત્યે પ્રેમ ઉત્પન કરે છે અને આપણને ભક્તિ, ધર્મ અને સત્સંગ (પ્રવચન)ના માધ્યમથી ઈશ્વર સુધી લઈ જાય છે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે, જ્યાં મહિલાઓને સન્માન આપવામાં આવે છે, ત્યાં દેવતા વસે છે. જો આપણે મહિલાઓને સન્માન આપીએ છીએ તો આપણે નિશ્ચિત રૂપે પુરુષો પ્રત્યે તેમના દૃષ્ટિકોણ બદલી શકીએ છીએ.

સેશન્સ કોર્ટે સુરત યૌન શોષણ કેસમાં આસારામને આજીવન કેદની સજા આપી હતી. આ કેસમાં કોર્ટ તમામ મુદાઓનું અવલોકન કર્યું હતું. ગાંધીનગર સેશન્સ કોર્ટે આ કેસમાં ચૂકાદો આપતા પીડિતાને 50 હજારનું આર્થિક વળતર આપવાનું સૂચન કર્યું હતું. વર્ષ 2013માં સપ્ટેમ્બર મહિનામાં આસારામ વિરુદ્ધ સુરતમાં યૌન શોષણનો કેસ થયો હતો. સુરત પોલીસે ઘટના જે વિસ્તારમાં બની હતી તે પોલિસ સ્ટેશનમાં કેસ ટ્રાન્સફર કર્યો હતો. અમદાવાદના ચાંદખેડા પોલીસમાં કેસ ટ્રાન્સફર થયો હતો.

શું હતો આ કેસનો સમગ્ર મામલો ?

વર્ષ 2001માં સુરતની બે યુવતીઓએ આસારામ સહિત તેના પુત્ર નારાયણ સાંઈ પર પણ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. 6 ઓક્ટોબર 2013ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટના વર્ષ 2001માં બની હતી. સરકાર વતી 55 સાક્ષીઓ ચકાસવામાં આવ્યા હતા. તમામ સાક્ષીઓના નિવેદનમાં જોવા મળ્યું હતો. આ ઘટનામાં કુલ 8 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત 7 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp