તેલંગાણા અને કેરળ પોલીસે સુરતના 27 ડાયમંડ વેપારીઓના બેંક ખાતા કેમ ફ્રિજ કરી દીધા

તેલંગાણા અને કેરળ પોલીસે સુરતની ડાયમંડ કંપનીઓના 27 બેંક ખાતાઓ ફ્રિજ કરી દિધા હોવાના અહેવાલોએ હીરાઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લાં 20 દિવસથી આ બેંક ખાતાઓ સીલ થઇ જવાને કારણે હીરાઉદ્યોગકારો મોટી મુશ્કેલીમાં મુકાયા છે અને હવે સરકારને રજૂઆત કરશે.

જેમ એન્ડ જ્વેલરી એકસ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ ( GJEPC)ના પૂર્વ રિજિયોનલ ચેરમેન અને અત્યારે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિયૂટના ચેરમેન દિનેશ નાવડીયાએ કહ્યું હતું કે,તેલંગાણા, કેરળ જેવા રાજ્યોમાં થયેલી સાઇબર ક્રાઇમની ફરીયાદને આધાર બનાવીને ત્યાંની સ્થાનિક પોલીસે સુરતની 27 જેટલી મોટી હીરા પેઢીઓના બેંક ખાતા ફ્રિજ કરી દીધા છે. બેંકોએ પણ પરરાજ્યોની પોલીસે આપેલી સુચનાનું પાલન કરીને પૂરેપૂરો કેસ જાણ્યા વગર હીરા પેઢીઓના બેંક ખાતા સીલ કરી દેતા સુરતના હીરા ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના વ્યવહારો સ્થગિત થઇ ચૂક્યા છે.

નાવડીયાએ કહ્યું કે,સુરતના અનેક હીરા ઉદ્યોગપતિઓની મૌખિક અને લેખિત ફરીયાદ મળી છે. પર રાજ્યોની પોલીસે સુરતની હીરા પેઢીઓના કરન્ટ એકાઉન્ટ કે જેમાંથી પગાર, ખર્ચા, ખરીદીના બિલો ચૂકવાય છે એવા એકાઉન્ટને રાતોરાત સ્થગિત કરી દીધા છે. આ મામલો ખૂબ ગંભીર છે એટલે અમે સુરતના એડિશનલ પોલિસ કમિશનર શરદ સિંઘલને જાણ કરી છે. આ બાબતે સુરતના એડિશનલ કમિશ્નર શરદ સિંઘલને રજૂઆત કરવામાં આવી છે.

દિનેશ નાવડીયાએ જણાવ્યું કે પ્રથમદર્શી નજરે જોતા એવું જણાય છે કે વેપારીઓને બેંકોએ કોઇપણ કારણ આપ્યું નથી કે કયા કારણથી બેંક એકાઉન્ટ ફ્રીઝ થયું છે.બીજુ એવું જણાય છે કે ત્રાહિત વ્યક્તિની ફરીયાદ છે, જે વ્યક્તિનું એકાઉન્ટમાં સાઇબર ક્રાઇમ થયો છે તેની એકેય એન્ટ્રી નથી, આમ છતાં પોલીસે ત્રાહિત પેઢી કે જેને સાઇબર ક્રાઇમના કેસમાં ક્યાંય સંબંધ નથી તેવા વેપારીઓના એકાઉન્ટ ફ્રીઝ કરીને વેપારીઓ માટે તહેવારોના સમયમાં મોટી આફત ઉભી કરી આપી છે.

જેમનું ખાતું સ્થગિત કરી દેવામાં આવ્યું છે તેવા એક ડાયમંડના વેપારીએ નામ નહીં છાપવાની શરતે કહ્યું હતું કે, અમારી કંપનીએ એક કંપનીને રફ ડાયમંડ વેચ્યા હતા, જે કંપનીને રફ ડાયમંડ વેચ્યા હતા તેનું ખાતું પોલીસે સ્થિગત કર્યું હતું. પોલીસ તપાસમાં લેવડ-દેવડમાં અમારી કંપનીનું પણ નામ હોવાથી કોઇ પણ કારણ આપ્યા વિના અમારા બેંક ખાતા સ્થગિત કરી દેવામાં આવ્યા છે.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.