મહેસાણાના બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજનો મોટો નિર્ણય, DJ, જુગાર પર પ્રતિબંધ

મહેસાણા જિલ્લાના વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજે સમાજની બેઠકમાં 80 ગામમાં વસવાટ કરતા લોકો માટે કુરિવાજો દુર કરવા માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગે અને મૃત્યુ પ્રસંગના અનેક રિવાજોમાં બદલાવની જાહેરાત કરી છે. સમાજમાં વર્ષોથી ચાલી આવતા કુરિવાજોને બંધ કરવાની હાકલ કરવામાં આવી હતી.

વડગનર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજની મળેલી બેઠકમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ઉપરાંત લગ્ન પ્રસંગોમાં રમાતા જુગાર પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 80 ગામના લોકોએ આ નિર્ણયનો અમલ આવતી કાલથી જ કરવાનો છે.ઓઢણી પ્રસંગોમાં હવે મહિલાઓ જ જશે પુરુષોના જવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. મુત્યના પ્રસંગે સોળના બદલે રોકડથી વહેવાર કરવો.

વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ ઉદાજી ખાબોકે જણાવ્યું હતું કે, 80 ગામના સમાજના આગેવાનો સાથે મળેની નિર્ણય કર્યા પછી હવે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે અને એક બંધારણ બનાવવામાં આવ્યું છે કે વર્ષોથી ચાલી આવતા કુરિવાજો હવેથી બંધ કરવા. લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. નવરાત્રી વખતે સાઉન્ડ વગાડી શકાશે, પરંતુ માત્ર માતાના ગરબા માટે જ.

પ્રમુખ ઉદાજી ખાબોકે કહ્યું કે, અમારા સમાજમા એક એવો જૂનો રિવાજ છે કે પુરુષનું મોત થાય તો પરિવારનો ધોતિયું આપવાનું અને મહિલાનું મોત થાય તો સાડલો આપવાનો. આને સોળ પ્રથા કહેવામાં આવે છે. આ પ્રથા અમે બંધ કરી દીધી છે અને સગાઓને માત્ર રોકડમાં જ વહેવાર કરવા કહ્યું છે.

ઉદાજીએ કહ્યું કે અમારા સમાજમાં 34 વર્ષથી દારૂબંધી છે. કોઇ દારૂ પીતું નથી. જે પરિવારમાં દારૂ પીવાતો હોય ત્યાં દીકરી આપવી નહીં એવો નિર્ણય અગાઉ લેવાયેલો છે.

વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજે જે નિર્ણયો લીધા છે. તેમાં લગ્ન પ્રસંગોએ કે અન્ય શુભ પ્રસંગોએ ડીજે વગાડી શકાશે નહીં. નવરાત્રી વખતે સાઉન્ડ વગાડી શકાશે,લગ્ન પ્રસંગે વરઘોડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.ઓઢણી પ્રસંગે માત્ર મહિલાઓએ જ જવું, પુરુષોને જવા પર પ્રતિબંધ. મરણ પ્રસંગે સોળ લઇ જવાની પ્રથા પર પ્રતિબંધ. લગ્નમાં ઓઢમણા પ્રથા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગોમાં જુગાર રમવા પર પ્રતિબંધ.

80 ગામના લોકો માટે આ મહત્ત્વનો નિર્ણય છે. પ્રમુખે કહ્યું કે, બધા ગામના પ્રમુખો સાથે પહેલા બેઠક થઇ હતી, તેમની સાથે ચર્ચા કર્યા પછી હવે સામુહિક નિર્ણય લેવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.