બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારને SCએ લીધી આડેહાથ, 14 વર્ષની સજા...

ગુજરાત દંગાઓ સાથે જોડાયેલા બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારના વલણ પર સુપ્રીમ કોર્ટ સવાલ ઊભા કર્યા છે. બિલકિસ બાનો કેસમાં દોષીઓને મુક્ત કરવા પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું કે, આ દોષીઓને મોતની સજા બાદ વાળો દંડ કે આજીવન કેદની સજા મળી હતી. એવામાં તેઓ 14 વર્ષની સજા ભોગવીને કેવી રીતે મુક્ત થયા? ગુજરાત સરકારને પૂછવામાં આવ્યું કે, 14 વર્ષની સજા બાદ મુક્તિની રાહત બાકી કેદીઓને કેમ ન મળી? ગુજરાત સરકારે ચૂંટણી અગાઉ બિલકિસ કેસના 11 દોષીઓને મુક્ત કરી દીધા હતા.

ત્યારબાદ ખૂબ મોટો હોબાળો ઊભો થયો હતો. ત્યારે ગોધરાના ભાજપના ધારાસભ્યએ સંસ્કારી બ્રાહ્મણ કહીને તેમનો બચાવ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગારત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાની બેન્ચે પોતાની મૌખિક ટિપ્પણીમાં કહ્યું કે, જેલો કેદીઓથી ભરેલી પડી છે તો તેમને સુધરવાનો અવસર કેમ ન આપવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, બિલકિસના દોષીઓ માટે જેલ એડવાઇઝરી કમિટી કયા આધાર પર બની? એડવાઇઝરી કમિટીની જાણકારી આપો.

કોર્ટે સરકારને પૂછ્યું કે, જ્યારે ગોધરાની કોર્ટે ટ્રાયલ ન કર્યું તો તેની પાસે મંતવ્ય કેમ માગવામાં આવ્યા? બિલકિસ બાનોની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી હવે 24 ઑગસ્ટે થશે. ગુજરાત સરકાર તરફથી ઉપસ્થિત થયેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) એવી રાજૂએ કોર્ટને જણાવ્યું કે, રાજ્ય સુપ્રીમ કોર્ટના 13 મેના નિર્ણયનું પાલન કરવા માટે બાધ્ય છે જે દોષીઓમાંથી એક રાધેશ્યામ ભગવાનદાસ શાહના કેસમાં પાસ કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યને નિર્ણય લેવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે, રાજ્યએ દંડ પ્રક્રિયા સંહિતાની કલમ 432 હેઠળ છૂટની પ્રક્રિયાનું પાલન કર્યું અને 3 જૂનના રોજ ગોધરા કોર્ટના પીઠાસીન ન્યાયાધીશનું મંતવ્ય લેવામાં આવ્યું અને એક જેલ સલાહકાર સમિતિની રચના કરી, જેણે સ્થાનિક પોલીસના મંતવ્ય પર વિચાર કર્યો. જેલ અધિક્ષક અને નીચલી કોર્ટના ન્યાયાધીશે ગયા વર્ષે 10 ઑગસ્ટે કેદીઓને મુક્ત કરવાની ભલામણ કરી હતી.

વર્ષ 2002માં ગોધરા દંગાઓ દરમિયાન બિલકિસ બાનો સાથે ગેંગરેપ થયો હતો. તેના પરિવારના 7 લોકોની હત્યા થઈ હતી. આ કેસમાં 11 લોકો દોષી સાબિત થયા હતા, પરંતુ ગયા વર્ષે 15 ઑગસ્ટ 2022ના રોજ ગુજરાત સરકારની એક કમિટીના રિપોર્ટ બાદ આ બધા દોષીઓને સમય પહેલા જ મુક્ત કરી દેવામાં આવ્યા હતા. આ દોષીઓની મુક્તિ પર તેમનું ફૂલ-માળાઓથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ દોષીઓની મુક્તિ પર બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આ કેસની નિયમિત સુનાવણી થઈ રહી છે.    

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.