ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને નેતા વિપક્ષનું પદ મળશે કે નહીં? પાટીલે આપ્યા સંકેત

On

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મળ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં જોડાઇ ગઇ છે. દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાંથી ગુજરાત ફર્યા બાદ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે મીડિયાને સંબોધિત કરી હતી. આ અવસર પર CR પાટીલે ગુજરાતની મોટી જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યું. CR પાટીલે કહ્યું કે, ગુજરાતમાં મોદી મેજિક ચાલ્યું. રાજ્યના લોકોએ તેમના ઉપર ફરી એક વખત પોતાનો અતૂટ વિશ્વાસ બનાવી રાખ્યો.

જેના કારણે પાર્ટી સત્તા વિરોધી લહેરી જેવી વસ્તુને સાઇડ પર કરીને જીતી. CR પાટીલે હુંકાર ભરતા કહ્યું કે, વર્ષ 2024ની ચૂંટણીમાં પાર્ટી અન્ય ઘણા રેકોર્ડ બનાવવા જઇ રહી છે. આ અવસર પર CR પાટીલને પૂછવામાં આવ્યું કે, ભાજપે ખૂબ સીટો જીતી છે. કોંગ્રેસને માત્ર 17 સીટો મળી છે, એવામાં મજબૂત વિપક્ષ માટે વિધાનસભામાં તેમને નેતા વિપક્ષ પદ મળશે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, લોકતંત્રમાં મજબૂત વિપક્ષ હોવું જોઇએ, પરંતુ તેની જવાબદારી શાસક પક્ષ લેતો નથી.

વિપક્ષે પોતે તેના માટે મહેનત કરવાની હોય છે અને મહેનત કરીને મજબૂત બનવાનું હોય છે. CR પાટીલે સીધી રીતે કશું જ નહીં, પરંતુ તેમણે પાર્ટીની લાઇન સ્પષ્ટ કરી દીધી. કોંગ્રેસ પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને ધારાસભ્ય દાળના નેતા અને શૈલેષ પરમારને ઉપ નેતા બનાવ્યા છે. અમિત ચાવડા બુધવારે શપથ ગ્રહણ કરી શકે છે. કોંગ્રેસ નેતા વિપક્ષ પર પદ માટે દાવો નહીં કરી શકે.

એવામાં હવે બૉલ વિધાનસભા અધ્યક્ષના હાથમાં છે કે કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતાને વિપક્ષ નેતાનો દરજ્જો આપે છે કે નહીં. CR પાટીલના નિવેદન બાદ હવે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતાવિહીન હશે. તેની સંભાવના વધી ગઇ છે. કોંગ્રેસને નેતા વિપક્ષનો દરજ્જો મળવાની સંભાવના ત્યારે ઓછી થવા લાગી હતી, જ્યારે નેતા વિપક્ષના બંગ્લાને શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોરને ફાળવી દેવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં એમ પહેલી વખત થશે, જ્યારે લાંબા સમય માટે વિધાનસભામાં કોઇ પણ નેતા વિપક્ષ નહીં હોય.

રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી છેલ્લા 27 વર્ષોથી વિપક્ષમાં છે. તેઓ અત્યાર સુધી નેતા વિપક્ષમાં રહેતી હતી, પરંતુ આ વખત નહીં થાય. જ્યારે વિધાનસભાના નેતા વિપક્ષ વિહીન રહેશે. છેલ્લા 27 વર્ષમાં કોંગ્રેસ તરફથી 9 નેતાઓને નેતા વિપક્ષ બનવાનો અવસર મળ્યો. તેમાં અમર સિંહ ચૌધરી, નરેશ રાવલ, અર્જૂન મોઢવાડિયા, શક્તિ સિંહ ગોહિલ, શંકર સિંહ વાઘેલા, મોહન રાઠવા, પરેશ ધાનાણી અને સુખરામ રાઠવાના નામ સામેલ છે.

Related Posts

Top News

દરિયાની વચ્ચોવચ લાગી આગ, તેલ ભરેલા ટેન્કરો જ્વાળામુખીમાં ફેરવાયા, ટેન્શનમાં આવ્યા ઘણા દેશ

ઉત્તર સમુદ્રમાં 2 જહાજો અથડાઇ ગયા છે. ત્યારબાદ તેલ ભરેલા જહાજમાં આગ લાગી ગઇ અને ટેન્કરો સળગવા લાગ્યા. એક જહાજ...
World 
દરિયાની વચ્ચોવચ લાગી આગ, તેલ ભરેલા ટેન્કરો જ્વાળામુખીમાં ફેરવાયા, ટેન્શનમાં આવ્યા ઘણા દેશ

4 લાખમાં પરીક્ષા ખંડમાં બ્લૂટૂથ પહોંચાડયું, RPF ભરતી પરીક્ષામાં 2 ઉમેદવાર આવું કરતા પકડાયા!

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં છેતરપિંડી કરનારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ બ્લૂટૂથનો ઉપયોગ કરીને છેતરપિંડી...
Education 
4 લાખમાં પરીક્ષા ખંડમાં બ્લૂટૂથ પહોંચાડયું, RPF ભરતી પરીક્ષામાં 2 ઉમેદવાર આવું કરતા પકડાયા!

ફોક્સવેગને રજુ કરી સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, ID Every1, સુંદર ડિઝાઇન... સ્માર્ટ કેબિન!

જર્મન કાર ઉત્પાદક ફોક્સવેગન તેના ઇલેક્ટ્રિક વાહન પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ હવે તેની સૌથી સસ્તી હેચબેક...
Tech & Auto 
ફોક્સવેગને રજુ કરી સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, ID Every1, સુંદર ડિઝાઇન... સ્માર્ટ કેબિન!

સુરતના રાજકારણમાં કેમ મૂળ સુરતીઓને અન્યાય? તેઓ કેમ હાંસિયામાં રહી ગયા?

સુરત એવું શહેર રહ્યું છે કે જ્યાં શાંતિપ્રિય વેપારી લોકો રહેતા હતા જેઓ આજે મૂળ સુરતી લોકો તરીકે ઓળખાય છે....
Politics 
સુરતના રાજકારણમાં કેમ મૂળ સુરતીઓને અન્યાય? તેઓ કેમ હાંસિયામાં રહી ગયા?

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.