ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને નેતા વિપક્ષનું પદ મળશે કે નહીં? પાટીલે આપ્યા સંકેત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મળ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં જોડાઇ ગઇ છે. દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાંથી ગુજરાત ફર્યા બાદ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે મીડિયાને સંબોધિત કરી હતી. આ અવસર પર CR પાટીલે ગુજરાતની મોટી જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યું. CR પાટીલે કહ્યું કે, ગુજરાતમાં મોદી મેજિક ચાલ્યું. રાજ્યના લોકોએ તેમના ઉપર ફરી એક વખત પોતાનો અતૂટ વિશ્વાસ બનાવી રાખ્યો.

જેના કારણે પાર્ટી સત્તા વિરોધી લહેરી જેવી વસ્તુને સાઇડ પર કરીને જીતી. CR પાટીલે હુંકાર ભરતા કહ્યું કે, વર્ષ 2024ની ચૂંટણીમાં પાર્ટી અન્ય ઘણા રેકોર્ડ બનાવવા જઇ રહી છે. આ અવસર પર CR પાટીલને પૂછવામાં આવ્યું કે, ભાજપે ખૂબ સીટો જીતી છે. કોંગ્રેસને માત્ર 17 સીટો મળી છે, એવામાં મજબૂત વિપક્ષ માટે વિધાનસભામાં તેમને નેતા વિપક્ષ પદ મળશે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, લોકતંત્રમાં મજબૂત વિપક્ષ હોવું જોઇએ, પરંતુ તેની જવાબદારી શાસક પક્ષ લેતો નથી.

વિપક્ષે પોતે તેના માટે મહેનત કરવાની હોય છે અને મહેનત કરીને મજબૂત બનવાનું હોય છે. CR પાટીલે સીધી રીતે કશું જ નહીં, પરંતુ તેમણે પાર્ટીની લાઇન સ્પષ્ટ કરી દીધી. કોંગ્રેસ પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને ધારાસભ્ય દાળના નેતા અને શૈલેષ પરમારને ઉપ નેતા બનાવ્યા છે. અમિત ચાવડા બુધવારે શપથ ગ્રહણ કરી શકે છે. કોંગ્રેસ નેતા વિપક્ષ પર પદ માટે દાવો નહીં કરી શકે.

એવામાં હવે બૉલ વિધાનસભા અધ્યક્ષના હાથમાં છે કે કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતાને વિપક્ષ નેતાનો દરજ્જો આપે છે કે નહીં. CR પાટીલના નિવેદન બાદ હવે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતાવિહીન હશે. તેની સંભાવના વધી ગઇ છે. કોંગ્રેસને નેતા વિપક્ષનો દરજ્જો મળવાની સંભાવના ત્યારે ઓછી થવા લાગી હતી, જ્યારે નેતા વિપક્ષના બંગ્લાને શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોરને ફાળવી દેવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં એમ પહેલી વખત થશે, જ્યારે લાંબા સમય માટે વિધાનસભામાં કોઇ પણ નેતા વિપક્ષ નહીં હોય.

રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી છેલ્લા 27 વર્ષોથી વિપક્ષમાં છે. તેઓ અત્યાર સુધી નેતા વિપક્ષમાં રહેતી હતી, પરંતુ આ વખત નહીં થાય. જ્યારે વિધાનસભાના નેતા વિપક્ષ વિહીન રહેશે. છેલ્લા 27 વર્ષમાં કોંગ્રેસ તરફથી 9 નેતાઓને નેતા વિપક્ષ બનવાનો અવસર મળ્યો. તેમાં અમર સિંહ ચૌધરી, નરેશ રાવલ, અર્જૂન મોઢવાડિયા, શક્તિ સિંહ ગોહિલ, શંકર સિંહ વાઘેલા, મોહન રાઠવા, પરેશ ધાનાણી અને સુખરામ રાઠવાના નામ સામેલ છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.