પૂર્ણેશ મોદીનો રાહુલને ઝટકો, સુપ્રીમમાં Caveat દાખલ કરી, જાણો એનો મતલબ શું થાય?

રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ દાખલ કરનાર ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે. તેમણે પોતાનો પક્ષ સાંભળવા માટે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે. માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળતા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. રાહુલના કેસનો સુપ્રીમ કોર્ટે સ્વીકાર કરી લીધો છે. પૂર્ણેશ મોદીની ફરિયાદ પર નીચલી કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજાનો ચુકાદો આપ્યો હતો.

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી વિરુદ્ધ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના આધારે ચાર વર્ષ પછી, 23 માર્ચ, 2023 ના રોજ, ગુજરાતની સુરત કોર્ટે રાહુલ ગાંધીને કલમ 504 હેઠળમાનહાનિ માટે દોષિત ઠેરવ્યા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. એ પછી બીજા જ દિવસે રાહુલ ગાંધીનું સંસદ પદ છીનવાઇ ગયું હતું.

નીચલી અદાલતના ચુકાદા પછી રાહુલ ગાંધીને સેશન કોર્ટમા પણ રાહત ન  મળી હતી એ પછી રાહુલ ગાંધીએ હાઇકોર્ટનો રૂખ કર્યો હતો, પરંતુ હાઇકોર્ટે પણ રાહુલની અરજી ફગાવીને મોટો ઝટકો આપ્યો હતો.

જસ્ટિસ હેમંત પ્રિચકની બેન્ચે અરજી કરતી વખતે કહ્યું હતું કે રાહુલ ગાંધી કોઈપણ આધાર વિના રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોર્ટે કહ્યું કે નીચલી અદાલતની સજા પર સ્ટે મૂકવો એ નિયમ નથી, પરંતુ અપવાદ છે અને તે માત્ર દુર્લભ કિસ્સાઓમાં જ થવો જોઈએ. બેંચે રાહુલ ગાંધી સામે ચાલી રહેલા 10 અપરાધિક કેસોનો પણ ઉલ્લેખ કર્યો.

હવે વાત કરીએ કે પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમા જે કેવિયેટ દાખલ કરી છે તેનો મતલબ શું થાય?

વાદી દ્વારા એક કેવિયટ અરજી દાખલ કરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે કે તેની સામે કોઈ પ્રતિકૂળ હુકમ સાંભળ્યા વિના પસાર ન થાય. ઘણી વખત કેસમાં પ્રતિવાદીને માહિતી મળતી નથી અને કોર્ટ ઉપલબ્ધ તથ્યોના આધારે એકતરફી ચુકાદો આપે છે. આ સ્થિતિને ટાળવા માટે કેવિએટની વ્યવસ્થા લાવવામાં આવી છે.  આમાં, પ્રતિવાદી પહેલેથી જ કોર્ટમાં અપીલ કરીને જાણ કરે છે કે આ કેસમાં તેમની પણ સુનાવણી થવી જોઈએ.

વર્ષ 2019માં કર્ણાટકની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કેવી રીતે બધા ચોરોની અટક મોદી હોય છે? આ નિવેદનને આધારે ભાજપના સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પૂર્ણેશ મોદીએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધીની ટીપ્પણીથી આખા મોદી સમાજની બદનામી થઇ છે. રાહુલની સામે IPCની કલમ 499 અને 500 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.