BJP MLAએ કહ્યું- સ્વામિનારાયણ સંસ્થા પૈસા ભેગા કરવાની સંસ્થા છે, હું સોખડા...

સારંગપુર મંદિર પરિસરમાં આવેલી બજરંગબલીની 54 ફૂટ ઊંચી પ્રતિમાની નીચે બનેલા વિવાદિત ભીંતચિત્રોને હટાવી દેવામાં આવ્યા છે. જો કે, સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ કેટલાક વિવાદ રહેલા છે. સારંગપુર મંદિરમાંથી માત્ર ભીંતચિત્રોને હટાવતા અનેક સાધુ-સંતો નારાજ છે. તમામ મુદ્દાઓ પર સમાધાન ન થયા હોવાનું સાધુ-સંતો કહી રહ્યા છે. થોડા દિવસો અગાઉ સારંગપુરમાં વિવાદ વકર્યો હતો. બજરંગબલીને સ્વામી નારાયણના ભક્ત બતાવાતા વિવાદ ઉત્પન્ન થઈ ગયો હતો.

હવે સ્વામી નારાયણ સંપ્રદાયને લઈને કાલોલના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સ્વામિનારાયણ સંસ્થા છે, પૈસા ભેગા કરવાની સંસ્થા. કોઈ ધર્મનું જ્ઞાન નથી. એટલા બધા વ્યભિચારી. હું એક વખત સોખડા ગયો હતો. સત્સંગમાં મેં કહ્યું કે, તમે સદ્વગુરુના માણસો છો, એકે કહ્યું ના. કેમ? જન્મ ક્યાંથી થયો. જેને જેને સદ્વગુરુનો દોષ લાગ્યો, એ ધરતી પર રહ્યા નથી. આ સંપ્રદાય કોઈ જ્ઞાનનો અખાડો નથી. સ્વામિનારાયણ સંસ્થા છે. કોઈ ધર્મનું જ્ઞાન નથી. એટલા બધા વ્યભિચારી. રોજ સમાચાર આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, અનેક મંદિરોમાં ઝઘડા થયા છે. આપણા દેવી-દેવતાઓના નામ પર સંપ્રદાય ચલાવે છે. અભણ લોકોને કહે છે, સહજાનંદ સ્વામી આખા બ્રહ્માંડના માલિક છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાય સંપ્રદાયને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રાજકોટના સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ દેવી-દેવતાઓ વિરુદ્ધ બફાટ કરી રહ્યા છે.

વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ કહી રહ્યા છે કે, દેવી-દેવતા કાઢવાના છે, ભગવાનની આજ્ઞા છે, આ જે કંઈ થાય છે તે ભગવાનની લીલા સમજીને ચાલો. ભગવાન સ્વામિનારાયણ હવે સનાતનીઓથી કૂરાજી થઈ ગયા છે અને આપણે હવે કોઈ દેવી-દેવતા સાથે કોઈ સંબંધ રાખવાનો નથી. સ્વામિનારાયણ ભગવાન આપણો આખો ધર્મ અલગ કરી રહ્યા છે. હિન્દુ ધર્મના એવા લોકો કે જેઓ દેવી-દેવતાને માનતા નથી, તેઓએ સ્વામિનારાયણ ભગવાન સ્વીકારશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.