AAPના ધારાસભ્યની ચેલેન્જ BJPના મનસુખ વસાવાએ સ્વીકારી લીધી કહ્યુ, કાલે આવીશ

એક પત્રથી શરૂ થયેલા આરોપ પ્રત્યારોપ પછી ગુજરાતના આદિવાસી રાજકારણમાં હવે વાત સીધી ચેલેન્જ પર પહોંચી ગઇ છે.AAPના ધારાસભ્યના ડિબેટ પડકાર પર ભાજપના સાંસદે પલટવાર કરીને સ્થાન અને સમય પણ નક્કી કરી દીધો છે. ભાજપના નેતાએ કહ્યું કે, તેઓ કોઇ પણ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે.

ગુજરાતમાં આમ તો અત્યારે કોઇ ચૂંટણી નથી પરંતુ નર્મદા ભ્રષ્ટાચારના મુદ્દા પર નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાઇ ગયું છે. આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સાંસદને જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો હતો. હવે ચૈતર વસાવાના પડકારને ભાજપના નેતા મનસુખ વસાવાએ સ્વીકાર કરી લીધો છે.

ચૈતર વસાવાનો આરોપ છે કે ભાજપ સાંસદે AAP, BJP અને કોંગ્રેસના નેતાઓ પર હપ્તાખોરી અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવતો પત્ર લખ્યો છે. ચૈતર વસાવાએ કહ્યું છે કે મનસુખ વસાવાના પત્રને કારણે મારી અને અન્ય નેતાઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. AAPના ધારાસભ્યએ કહ્યું કે તેમણે પત્રમાં મને ગદ્દાર તરીકે સંબોધન કર્યું છે. જો મનસુખ વસાવા જાહેરમાં આ સાબિત ન કરે તો હું મનસુખ વસાવા સામે માનહાનિનો કેસ દાખલ કરીશ એવી ચિમકી ચૈતર વસાવાએ આપી હતી. આવું કહીને ચૈતર વસાવાએ ડિબેટ માટે મનસુખ વસાવાને ચેલેન્જ મોકલી હતી.

ચૈતર વસાવાના આ પડાકરને મનસુખ વસાવાએ સ્વીકાર કરીને પહેલા સમય અને જગ્યા બતાવવાની વાત કરી હતી. હવે મનસુખ વસાવાએ જાતે જ સમય અન સ્થળ સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે.મનસુખ વસાવા ગુજરાતની ભરૂચ લોકસભા સીટ પરથી સાંસદ છે અને તેમની ગણતરી ભાજપના દિગ્ગજ આદિવાસી નેતાઓમાં થાય છે. મનસુખ વસાવા ભરૂચની સીટ છઠ્ઠી વખત જીતી રહ્યા છે.

ચૈતર વસાવા જે પત્રનો ઉલ્લેખ કરી રહ્યા છે તેના વિશે મનસુખ વસાવાએ કહ્યું છે કે, તેમણે આવો કોઇ પત્ર લખ્યો જ નથી.મનસુખ વસાવાએ આરોપ લગાવતા કહ્યુ કે રાજકીય લાભ લેવા માટે ચૈતર વસાવા આવું બધું કરી રહ્યા છે.

મનસુખ વસાવાએ 1 એપ્રિલે, રાજપીપળામાં ગાંધી ચોક પાસે ડિબેટ માટે ચૈતર વસાવાને આમંત્રણ આપ્યું છે. હવે જોવાનું એ રહે છે કે આની પર ચૈતર વસાવા શું પ્રતિક્રિયા આપે છે. ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં કાર્યકારી અધ્યક્ષની જવાબદારીની સાથે રાજસ્થાનના સહ પ્રભારી પણ બનાવ્યા છે. આમ આદમી પાર્ટીમાં આવતા પહેલા ચૈતર વસાવા ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં હતા.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.