વેરાવળઃ ડૉક્ટર આત્મહત્યા કેસમાં ભાજપ સાંસદની મુશ્કેલી વધી, સરકારે કહ્યું FIR થશે

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના જાણીતા તબીબ અતુગ ચગની આત્મહત્યાના કેસમાં ભાજપ સાંસદની મુશ્કેલીઓ વધી શકે છે. ડોક્ટરના પુત્રએ હાઈકોર્ટમાં અરજી કર્યા બાદ સરકારે FIR નોંધવાની ખાતરી આપી છે,આવી સ્થિતિમાં હવે આ મામલે FIR નોંધવામાં આવશે.

વેરાવળના જાણીતા ડોકટર ડો. અતુલ ચગે પોતાની હોસ્પિટલમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને ઘટના સ્થળેથી એક સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાંનું નામ લખેલું હતું. ડો. ચગના પરિવારે પોલીસને ફરિયાદ કરી હતી, પરંતુ સ્થાનિક પોલીસે સાંસદ રાજેશ ચુડાસમાં સામે FIR નોંધી નહોતી.

પોલીસે તો ફરિયાદ ન નોંધી એટલે ચગ પરિવારે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. હાઇકોર્ટે આ મામલે કડક વલણ અપવાનીને તમામ પોલીસ અધિકારીઓને સમન્સ મોકલ્યા હતા. હવે આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં સરકારી વકીલે આશ્વાસન આપ્યું હતું કે આ કેસમાં રાજેશ ચુડાસમા સામે જલ્દી FIR નોંધવામાં આવશે.

મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ હાઇકોર્ટે છેલ્લી સુનાવણીમાં નોટીસ જારી કરીને સરકાર પાસે જવાબ માંગ્યો હતો. કોર્ટની નોટીસ પર સરકારી વકીલે જવાબ આપ્યો હતો કે ટુંક સમયમાં સાંસદ ચુડાસમા સામે FIR નોંધાશે.

ડો. અતુલ ચગે 12 ફેબ્રુઆરીના દિવસે પોતાની હોસ્પિટલના પહેલા માળે સ્યુસાઇડ નોટ  લખીને આત્મહત્યા કરી નાંખી હતી. ડો. અતુલ ચગે સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે હું નારણભાઇ અને રાજેશ ચુડાસમાને કારણે આપઘાત કરી રહ્યો છું. તમે વિચારો કે, ડોકટર ચગે આત્મહત્યા કરીને આજે લગભગ બે મહિનાથી વધારે સમય થયો, પરંતુ હજુ સુધી FIR નોંધાઇ નહોતી. ડો.ચગના પરિવારને ન્યાય અપાવવા માટે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ અવાજ ઉઠાવ્યો છે અને તેમણે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રૂબરૂમાં મળીને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી.

આપઘાતના 5 દિવસ પછી ચગના પરિવારે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે વેરાવળ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે ફરિયાદ લેવાનો ઇન્કાર કર્યો હતો. લોકોનું દબાણ વધ્યું તો પોલીસ અધિકારીઓ રજા પર ઉતરી ગયા હતા.

ડો. ચગ વેરાવળમાં એટલા જાણીતા તબીબ હતા કે તેમના આપઘાત પર લોકોએ ધરણાં પ્રદર્શન પણ કર્યા હતા, પરંતુ આમ છતા પોલીસે ફરિયાદ નોંધી નહોતી. કોરોના મહામારીના સમયે ડો. અતુલ ચગે લોકોની ઘણી મદદ કરી હતી.

BJP MP  રાજેશ ચુડાસમા

ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાં  કોળી સમાજમાંથી આવે છે. તેઓ પહેલીવાર વર્ષ 2012માં જૂનાગઢની માંગરોળ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. 2014માં પાર્ટીએ ટિકીટ આપી તો જૂનાગઢ લોકસભામાંથી ચૂંટાયા હતા. વર્ષ 2019માં ભાજપે ફરી ચુડાસમાને ટિકીટ આપી હતી અને તેઓ લોકસભા જીત્યા હતા. 40 વર્ષના રાજેશ ચુડાસમાં જૂનાગઢના ચોરવાડમાં રહે છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.