ગુજરાતના શાઇસ્તા-બ્રિજેશની 'લવ સ્ટોરી'નો ખતરનાક અંત, પરિવારે દફનાવી દીધી

શાઈસ્તા બ્રિજેશને પ્રેમ કરતી હતી, પરંતુ જ્યારે શાઈસ્તાના પરિવારજનોને આ વાતની જાણ થઈ. તેથી તેઓ વિલન બની ગયા. આરોપ છે કે તેના પરિવારના સભ્યોએ શાઇસ્તાની હત્યા કરી હતી. ગુજરાતના સુરતને અડીને આવેલા નવસારીમાંથી પ્રેમકથાનો ભયાનક અંત આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાઇસ્તાને ખુબ જ પ્રેમ કરતા બ્રિજેશે પોલીસને ફરિયાદ આપી અને તપાસની માંગ કરી. સુરત પોલીસના IGએ બ્રિજેશની ફરિયાદની નોંધ લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, યુવકની લવસ્ટોરીમાં ધર્મ વચ્ચે આવ્યો અને તેના કારણે શાઈસ્તા બ્રિજેશથી દૂર થઈ ગઈ. લવ સ્ટોરીનું આ પ્રકરણ સામે આવ્યા પછી કોઈ પણ અચંબામાં પડી ગયા છે. તો ત્યાં પોલીસ તપાસની વાત કરી રહી છે.

મળતી માહિતી મુજબ નવસારીમાં રહેતી શાઈસ્તા અને બ્રિજેશ બંને એકબીજાને પ્રેમ કરતા હતા. બંને વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો હતા. બંનેએ આગળ વધવા માટે ઘણા બધા સપના જોયા હતા, પરંતુ જ્યારે પાછલાં દિવસોમાં પરિવારને શાઇસ્તા અને બ્રિજેશના સંબંધોની જાણ થઈ ત્યારે આરોપ છે કે, શાઇસ્તાના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે પહોંચ્યા અને તેને મારવાની ધમકી આપી. બ્રિજેશની સાથે  ત્યાં હાજર શાઇસ્તા વલસાડ ચાલી ગઈ હતી. શાઇસ્તાના પરિવારજનોએ બ્રિજેશને તેને સોંપી દેવા કહ્યું. દરમિયાન બ્રિજેશને વલસાડ પહોંચેલી શાઇસ્તાનો ફોન આવ્યો હતો અને તેને કહ્યું હતું કે, તે તેને આવી ને લઇ જાય. જ્યારે બ્રિજેશ શાઈસ્તાને લેવા વલસાડ ગયો ત્યારે શાઈસ્તાના પરિવારે પોલીસમાં ફરિયાદ નહીં નોધાવીએ એમ કહીને શાઈસ્તાને તળાવ પાસે આવીને સોંપી દેવા જણાવ્યું હતું.

શાઈસ્તાના પરિવારજનો સાથે થયેલી વાતચીત મુજબ બ્રિજેશે શાઈસ્તાને તલવાડા ચોક પાસે તેના પરિવારજનોને સોંપી હતી. બ્રિજેશના કહેવા પ્રમાણે સાદિક નામના વ્યક્તિએ શાઈસ્તાને પોતાની કારમાં બેસાડી દીધી હતી. દરમિયાન, શાઇસ્તાના પરિવારના સભ્યોએ બ્રિજેશને ખાતરી આપી હતી કે, તેઓ પોલીસમાં ફરિયાદ નહીં કરે. બ્રિજેશનો આરોપ છે કે 20 એપ્રિલે છેલ્લી વાર ઘરની બહાર નીકળેલી શાઇસ્તા હવે આ દુનિયામાં નથી. શાઇસ્તાને તેના પરિવારના સભ્યોએ માર મારીને મારી નાંખી છે. આ પછી તેને દફનાવી પણ દીધી છે. બ્રિજેશે પોલીસમાં આપેલી ફરિયાદમાં શાઇસ્તાના પોસ્ટમોર્ટમની માંગ કરી છે.

બ્રિજેશની પોલીસ ફરિયાદ ઉપરાંત આ સમગ્ર ઘટનામાં કેટલાક નામચીન આરોપીઓ પણ સામેલ હોવાની માહિતી પણ સામે આવી છે. તેમાંથી એક જુગારનો અડ્ડો પણ ચલાવે છે. પોતાના જીવને ખતરો ગણાવતા બ્રિજેશે પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી છે. બ્રિજેશે પોલીસને કરેલી ફરિયાદમાં મોહમ્મદ કમુ શેખ, સાદિક મોહમ્મદ શેખ, રમઝાન સિંધી, સિદ્દીકી શેખ અને શોએબ શેખ પર શાઇસ્તાની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.

આ ઘટના અંગે મીડિયા દ્વારા સુરત IG પિયુષ પટેલ સાથે વાત કરવામાં આવતા તેમણે જણાવ્યું કે, આ ઘટના પ્રેમ પ્રકરણની છે. પટેલે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં યુવતીના પિતાએ આપઘાત કર્યાની વાત કરી છે. પિતાનો દાવો છે કે શાઇસ્તાએ સુસાઇડ નોટ પણ છોડી છે. પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.