સુરત પોલીસે વ્યાજખોર પાસેથી ઘર છોડાવી સાસુ વહુને ઘર વખરીનો સામાન પણ લઈ આપ્યો

અડાજણ પોલીસે વિધવા સાસુ-વહુના 7 લાખના મકાનને વ્યાજખોર પાસેથી છોડાવી આપ્યું છે. એ સિવાય ઘરમાં કોઈ સામાન ન હોવાથી પોલીસે જીવન જરૂરિચાતની વસ્તુંઓની વ્યવસ્થા કરી આપી છે. જેમાં નવું ટી.વી., ફ્રીઝ, પંખા, કબાટ, પલંગ, ગાદલા અને વાસણો લઈ આપવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે ‘તમને દર મહિને રાશન પણ ભરાવી આપીશું. અડાજણમાં મહાનગર પાલિકાના આવાસમાં રહેતી 81 વર્ષીય વૃદ્ધા સાથે તેની 60 વર્ષીય વિધવા વહુ પણ રહે છે. લોકડાઉનમાં વહુ બીમાર પડી હતી. ત્યારે તેનું ઓપરેશન કરાવવું પડે તેવી સ્થિતિ હતી.

આવા કપરા સમયે પૈસા ક્યાંથી લાવવા તે પ્રશ્ન હતો. તેથી વિધવા વહુએ નજીકના સંબંધી પાસેથી 1 લાખ વ્યાજે લીધા હતા. આ રકમ વહુ ચૂકવી શકી નહોતી, તેથી વ્યાજખોરે મકાનના ડોક્યૂમેન્ટ કબજે કરી તાળું મારી દીધું હતું. 60 વર્ષીય વિધવા દોઢ વર્ષથી બે દીકરીઓના ઘરે 5-5 દિવસ રહેતી હતી. બીજી તરફ 81 વર્ષની સાસુ પાડોશીઓ પાસેથી ભોજન માગી ખાતી હતી અને જ્યાં ઓટલો મળે ત્યાં સૂઈ રહેતી હતી. પોલીસે કહ્યું હતું કે, કોઈને પણ વ્યાજખોરોના ત્રાસ હોય તો પોલીસના 100 નંબર પર કોલ કરે અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે.

વ્યાજખોર વિધવા વહુની દીકરીનો મામો સસરો છે. પોલીસ વ્યાજખોરો સામે કાર્યવાહી કરી રહી હોવાનું ધ્યાનમાં આવતા બંને મહિલાઓએ પોલીસ સ્ટેશને આવી વિનંતી કરી હતી. જો કે, વ્યાજખોર સામે કાર્યવાહી ન કરવા પણ કહ્યું હતું. કેમ કે તે વિધવા વહુની દીકરીનો મામો સસરો થતો હતો. અડાજણ પોલીસ સ્ટેશનના PI આર.બી. ગોજીયાએ જણાવ્યું કે, લોકો સાથે સુમેળભર્યું વાતાવરણ બને તે માટે બંને મહિલાને મકાનનો કબજો અપાવ્યો છે. ત્યારબાદ વૃદ્વાને કોઈ હેરાન ન કરે તે માટે મેં અને મારા સ્ટાફે તેમના ઘરે વિઝિટ પણ કરી હતી. ટૂંકમાં લોકો પોલીસની નજીક આવે અને એક સારું વાતાવરણ બને તેવા પ્રયાસ અમે કરી રહ્યા છે.

હાલમાં જ ગોંડલ તાલુકાના મૂંગા વાવડી ગામે રહેતા યુવાન દ્વારા ધંધાની જરૂરિયાત માટે જુદા-જુદા સમયે 5 વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જેનું તેમને નિશ્ચિત કર્યા કરતા પણ વધુ વ્યાજ ચૂકવ્યું હોવા છતા પણ વારંવાર વ્યાજખોરો ગેરવર્તન કરી ધાકધમકી આપતા હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો જામજોધપુરના ફેબ્રિકેશનના એક ધંધાર્થીએ 2 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.

થોડા દિવસ અગાઉ બનાસકાંઠાના લવાણા ગામના વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ હતી. લવાણા ગામના ગેરેજ માલિકે નવ મહિના અગાઉ 60 હજાર રૂપિયાના એક મહિનાનું 12,500 મુજબ ઉંચા વ્યાજ સાથે 1.85 લાખ રૂપિયા પરત કર્યા હતા. છતા 70,000 રુપિયા બાકી હોવાનું કહીને વ્યાજખોર ઉઘરાણી કરતો હોવાની ફરિયાદ નોંધાઇ હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.