છોટા ઉદેપુરઃ 400 વર્ષ જુના વડલો ગમે ત્યારે ઢળી પડશે, તંત્રની ઉંઘ ઉડતી નથી

છોટા- ઉદેપુરમાં આવેલા જબુગામમાં ઓરસંગ નદીના કિનારે એક 400 વર્ષ જુનો વ઼ડલો અત્યારે તો અડીખમ ઉભો છે, પરંતુ વર્ષ 2022માં વરસાદની સીઝનમાં આ વડલાની આજુબાજુ મોટા પાયે ધોવાણ થયું છે અને નેચર પ્રેમીઓ અને ગામના લોકોને ચિંતા છે કે હવે જો ધોધમાર વરસાદ આવશે તો આ વડલો કદાચ ઢળી પડશે. ગામના લોકોને એ વાતની પણ ચિંતા છે કે જો આ વડલો ધરાશાયી થશે તો ગામની વિરાસત, ગામની ધરોહર પણ ખોવાઇ જશે. પ્રકૃતિ પ્રેમીઓએ વન વિભાગ, છોટા ઉદેપુરના જિલ્લા કલેકટર, પંચાયચ બધાને રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી તંત્રના પેટનું પાણી હાલ્યું નથી. કદાચ વડલો પડશે પછી જ તેમની ઉંઘ ઉડશે એવું લાગે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પર્યાવરણ પ્રેમીઓનું એક ગ્રુપ છે જેનું નામ છે વન- વગડો. આ પેજ પર સંજયસિંહ રાણા જે નેચર લવર છે તેમણે એક પોસ્ટ મુકી છે કે,જબુગામ માં ઓરસંગ નદી ના કાંઠે આવેલ લગભગ ૪૦૦ વર્ષ નું આયુષ્ય ધરાવતું અને લોકવાયકા મુજબ છોટા- ઉદેપુર જિલ્લા નું સૌથી જૂનું વટવૃક્ષ જેને જબુગામ પંથકના લોકો હોઢરબાવા નો વડલો ના નામ થી ઓળખે છે લગભગ ૪ સદી નો ઇતિહાસ સાચવી ને બેસેલ આ વટવૃક્ષ જુલાઈ ૨૦૨૨ માં આવેલા ધોધમાર વરસાદના પગલે તેની એક બાજુ ખુબ ધોવાણ થયું છે.હવે લાગે છે કે આવતા વર્ષે જો થોડો ઘણો પણ વધારે વરસાદ થશે તો  જબુગામ નું હેરિટેજ સાઇટ કહી શકાય એવી ધરોહર હંમેશ ને માટે ખોવાઈ જશે.

Khabarchhe.Comએ જ્યારે આ વિગત જાણી તો સંજયસિંહ રાણા સાથે ફોન પર વાત કરી હતી.સંજય સિંહે કહ્યું કે 400 વર્ષ જુના જબુગામમાં આવેલા વડલાની બે બાજુ ભારે ધોવાણ થયું છે અને વટવૃક્ષના મુળિયા વધારે ઉંડા હોતા નથી. અમને એ વાતની ચિંતા છે કે જ્યારે વડલો બે બાજુથી કમજોર પડી ગયો છે તો કેટલા દિવસ ટકશે?

સંજયસિંહે કહ્યુ કે અમે ગ્રુપના લોકોએ 50-50 લોકોની સહી સાથે વન વિભાગ, પંચાયત, જિલ્લા કલેટકર બધાને 6 મહિનાથી રજૂઆત કરી છે, પરંતુ વડલાને બચાવવા માટેની કોઇ કાર્યવાગી કરવામાં આવી નથી. સંજયસિંહે કહ્યું કે, અમારે તો વડલાને બચાવવો જ છે, એટલે ગામના યુવાનો અને વન પ્રેમીઓએ નક્કી કર્યું છે, એક સપ્તાહ સુધીમાં જો તંત્ર દ્રારા કોઇ કામગીરી કરવામાં નહીં આવે તો અમે જાતે જ બધા ભેગા મળીને વડલાને બચાવવાની કામગીરી શરૂ કરી દઇશું.

જંગલ કે વૃક્ષ વિનાની પૃથ્વી ધડ વિનાના માનવી જેવી છે અને ક્યાં તો આપણે એ ધડને કાપી રહ્યા છે અને જે છે તેની જાળવણી નથી કરતા. પૃથ્વી પર પર્યાવરણનું સંતુલન જાળવી રાખવાં માટે પ્રકૃતિનાં દરેક રંગ અને રૂપને સમરસ જાળવવાં જરૂરી છે. પરંતુ આ નઘરોળ તંત્રને કોણ સમજાવે.

Khabarchhe.Comએ છોટા ઉદેપુરના જિલ્લા કલેકટર  IAS સ્તુતિ ચરણને ફોન કર્યો હતો, પરંતુ તેમનો ફોન નો રીપ્લાય થયો હતો.  એ પછી અમે રાજ્યકક્ષાના વન મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ સાથે ફોન પર વાત કરી હતી. મંત્રીએ કહ્યું કે, મારી જાણમાં નથી, પરંતુ તમે કહો છો તો તપાસ કરાવીને યોગ્ય પગલાં લેવડાવીશ.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.