રાજકોટમાં આઠમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું સ્કૂલમાં હાર્ટ ઍટેક આવતા મોત

PC: twitter.com

રાજકોટમાં ધોરણ 8માં ભણતા વિદ્યાર્થિનીને શાળામાં જ હાર્ટ એટેક આવી જતા તેનું મોત થઇ ગયું. વિદ્યાર્થિનીના પરિવારજનોએ પોતાની દીકરીના મોત માટે સ્કૂલ મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યું છે. હાલમાં રાજ્ય સરકાર તરફથી શાળા પ્રશાસન પાસે ઘટનાનો રિપોર્ટ માગવામાં આવ્યો છે. રાજકોટના જસાણી શાળામાં ધોરણ 8માં ભણતી રીયા સોની અચાનક જ અભ્યાસ કરતા-કરતા બેન્ચ પરથી પડી ગઇ. વિદ્યાર્થિનીને તાત્કાલિક હૉસ્પિટલ લઇ જવામાં આવી, પરંતુ ત્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.

પરિવારજનોનો આરોપ છે કે ઠંડીના કારણે વિદ્યાર્થિનીને હાર્ટ એટેક આવ્યો છે. તેમની દીકરીને તાત્કાલિક સારવાર ન મળવાના કારણે મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે રીયા સોની સવારે 7 વાગ્યે શાળાએ પહોંચી હતી. ત્યારબાદ 7:30 વાગ્યે પ્રાર્થના કરીને 8 વાગ્યે ક્લાસમાં પહોંચી હતી. એ દરમિયાન ઠંડી લાગી રહી હતી અને અચાનક જ બેહોશ થઇ ગઇ. વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત થતા શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયો છે. શિક્ષણ મંત્રીએ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી.

તેમણે મીટિંગમાં કહ્યું કે, વિદ્યાર્થીઓને ઠંડીના કારણે જેવો પણ સ્વેટર કે જેકેટ પહેરવા માગે છે તે પહેરી શકે છે. શાળા યુનિફોર્મનો જ જેકેટ કે સ્વેટર પહેરવો જરૂરી નથી. તો કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ માગ કરી છે કે શિક્ષણ વિભાગ ઠંડીના કારણે શાળાનો સમય સવારે 7 વાગ્યાથી બદલીને 8 વાગ્યાનો કરી દે. આ અંગે ડૉક્ટરનું કહેવું છે કે ઠંડીના કારણે બ્લડ જામી જાય છે. એવામાં વિદ્યાર્થીએ જે સ્વેટર પહેર્યું હતું, તેનાથી બોડી ગરમ રહેવાની સંભાવના ઓછી હતી. એવામાં બ્લડ જામવાથી બ્લડનું ફ્લો ઓછું થઇ ગયું હશે.

રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લખેલા પત્રમાં અમૃતલાલ વીરચંદ જસાણી વિદ્યામંદિર સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું કે, મંગળવારે સવારે 8માં ધોરણની વિદ્યાર્થિની રીયા સોનીએ સવારે 7:23 વાગ્યે બેચેનીની ફરિયાદ કરી. તેના માતા-પિતાને બોલાવવામાં આવ્યા, જે તેને હૉસ્પિટલ લઇ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.

શિક્ષકોએ મીડિયા રિપોર્ટ્સ મુજબ, પ્રિન્સિપાલ સ્મિતાબેન મુજબ જ્યારે રીયા પડી ગઇ તો તેના સહપાઠીઓ અને શિક્ષકોએ તેને હોશમાં લાવવા માટે હાથ-પગની માલિશ કરી. તો રિયાના માતા-પિતાનું કહેવું છે કે તેની દીકરી પૂરી રીતે સ્વસ્થ હતી. તે કોઇ બીમારીથી પીડિત નહોતી મેનેજમેન્ટે કહ્યું કે, નિર્ધારિત સ્વેટર બાળકોને શિતલહેરમાં બચાવવ પૂરતા નહોતા. હાલમાં એમ કહેવું વહેલું ગણાશે કે રિયાનું મોત શિતલહેરના કારણે થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp