CM ભૂપેન્દ્ર પટેલના દીકરાને રિલાયન્સ હોસ્પિટલમાં શિફ્ટ કરાશે, જાણો કેવી છે તબિયત

On

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજની તબિયતના રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લાં 16 દિવસથી બ્રેઇન સ્ટોકને કારણે સારવાર લઇ રહેલા અનુજ હવે કોમામાંથી બહાર આવી ગયા છે અને વેન્ટીલેટર પણ હટાવી લેવામાં આવ્યા છે.જાણવા મળેલી માહિતી મુજબ હવે તેમને કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે.તબીબોનું કહેવું છે કે અનુજને સંપૂર્ણ રિકવરી આવવામાં હજુ થોડો સમય લાગી શકે છે. પરંતુ ગુજરાતના CM અને તેમના પરિવાર માથેથી અત્યારે તો ચિંતાના વાદળો દુર થયા છે અને બધાએ રાહતની શ્વાસ લીધી છે.

મુંબઇની હિંદુજા હોસ્પિટલે મંગળવારે બહાર પાડેલા હેલ્થ બુલેટીનમાં જણાવ્યું હતું કે ગુજરાતાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજની તબિયતમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે અને તેઓ કોમામાંથી બહાર આવી ગયા છે. બધા વેન્ટીલેટર સપોર્ટ દુર કરી દેવામાં આવ્યા છે. હિંદુજા હોસ્પિટલના બુલેટીનમાં કહેવામાં આવ્યું છે કે અનુજની સંપૂર્ણ રિકવરીમાં હજુ થોડો સમય લાગી શકે છે. તેમને ટુંક સમયમાં મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે.

રીયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા અનુજ પટેલને 30 એપ્રિલે બ્રેઇન સ્ટોક આવ્યો હતો અને તેમને તાત્કાલિક અમદાવાદની કે ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમનો પરિવાર હોસ્પિટલ પહોંચ્યા હતા. અનુજનું અહીં ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમના આરોગ્યમાં સુધારો ન આવતા એર એમ્બ્યુલન્સથી મુંબઇની હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના પરિવાર માટે ચિંતાનો વિષય એ હતો કે અનુજ કોમામાં હતા અને તેમને વેન્ટીલેટર પર ICUમાં સારવાર આપવામાં આવી રહી હતી. લગભગ 15 દિવસ સુધી અનુજ કોમામાં હોવાને કારણે પરિવારનો જીવ તાળિયે ચોંટેલો હતો. જો કે 16 મે ,મંગળવારે રાહતના સમાચાર આવ્યા કે અનુજ કોમામાંથી બહાર આવી ગયા છે અને વેન્ટીલેટરના બધા સપોર્ટ પણ હટાવી દેવામાં આવ્યા છે.

અનુજ પટેલને જે બ્રેઇન સ્ટોકનો હુમલો આવ્યો છે તેના કારણો વિશે તબીબોનું કહેવું છે કે જ્યારે મગજ સુધી લોહી પહોંચાડનારી ધમનીને નુકશાન થાય છે ત્યારે બ્રેઇન સ્ટોક આવે છે. અથવા એમાં બ્લોકેજ થવાને કારણે મગજ સુધી લોહી પહોંચતું નથી. અમેરિકાની સૌથી મોટી આરોગ્ય એજન્સી CDCના કહેવા મુજબ ઓક્સિજન નહીં પહોંચવાને કારણે મગજની જે કોશિકાઓ હોય છે તે ગણતરીની પળોમાં નાશ પામે છે અને એ રીતે બ્રેઇન સ્ટોક આવે છે.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati