કાળો કલર કરનાર હર્ષદ ગઢવીના ફરિયાદી ભૂપતભાઈએ કહ્યું મારી સહી લેવાઈ મને તો...

સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી 'કિંગ ઓફ સાળંગપુર'ની 54 ફૂટની વિશાળ મૂર્તિ નીચેના ભીંતચિત્રો મામલે વિવાદ રોજબરોજ વધી રહ્યો છે. પોલીસ ફરિયાદમાં જેનું નામ ફરિયાદી તરીકે છે તે વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ફરિયાદી ભુપતભાઈ સાદુળભાઈ ખાંચર ખુલાસા કરી રહ્યો છે. તેણે મોટો આરોપ લગાવ્યો છે કે, મારી જાણ બહાર આ કેસમાં ફરીયાદી તરીકે મારું નામ ઉમેરાયું છે. આ વીડિયો સામે આવ્યા બાદ વિવાદ વધુ વઘે તેવી શક્યતા છે. સાળંગપુર ભીંતચિત્રો પર કાળો રંગ લગાવનાર હર્ષદ ગઢવી કેસના ફરિયાદીએ વીડિયો બનાવીને કેટલાક ખુલાસા કર્યા છે. 

ફરિયાદી ભુપતભાઈ ખાંચરે ખુલાસો કરતા જણાવ્યુ કે, હું હનુમાનજી મંદિરે સિક્યોરિટી તરીકે ફરજ બજાવું છું. જે દિવસે ભીંતચિત્રો પર કાળો રંગ લગાવવાની ઘટના બની ત્યારે હું ડ્યૂટી પર જ હતો. ઘટના બન્યાના થોડા સમય બાદ મને ઓફિસમાં બોલાવી પૂછ્યું હતું કે તું ત્યાં જ હતો? ત્યારબાદ ઓફિસમાં એક કાગળ ઉપર સહી કરાવી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયાના માધ્યમથી મને ખબર પડી કે, મને ફરીયાદી બનાવ્યો છે. મારી જાણ બહાર આ મામલે ફરીયાદી તરીકે મારું નામ ઉમેરાયું છે. જેથી હું આ ખુલાસો કરું છું. આ ખુલાસો કોઈના દબાણથી કરતો નથી.

આ સાથે તે એમ પણ કહે છે કે, ચારણ સમાજ કે અન્ય સમાજની લાગણી દુભાય હોય તો હું દિલગીર છું અને હું નિર્દોષ છું. ભીંત ચિત્રોને કલર કરવાના કેસના ફરિયાદી ભુપતભાઈ ખાંચરે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. રિપોર્ટ મુજબ, સાળંગપુર મંદિરમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ભુપતભાઈ ખાંચરે 3 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમાની નીચે બનેલા ભીંતચિત્રો પર કાળી સ્યાહી લગાવીને નુકસાન પહોંચાડ્યું છે. તેને રોકનાર લોકોને મારી નાખવાની ધમકી આપવી, ધાર્મિક જૂથો વચ્ચે વૈમનસ્ય ફેલાવવું વગેરે આરોપો હેઠળ કાળો રંગ લગાવનાર હર્ષદ ગઢવી અને અન્ય બે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસે આ મામલે કલમ 295(A), 153(A), 120 (B), 427 અને 506(2) હેઠળ ગુનો નોંધ્યો છે. સાળંગપુરના હનુમાન મંદિરના વિવાદ મામલે મહત્ત્વની મીટિંગ કરવામાં આવી હતી. આ અંગે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉ. સંતવલ્લભ સ્વામીએ કહ્યું હતું કે, ‘સમગ્ર સ્વામિનારાયણ પરંપરાના સંતો સનાતન પરંપરાનો ભાગ છે. આ વિવાદનો સુખદ અંત આવે તે માટે સૌ સંતોએ કષ્ટભંજન દેવના ચરણોમાં એકસૂરે પ્રાર્થના કરી છે.

સમાજ, ધર્મ, રાજકીય આગેવાન અને સત્સંગના આગેવાનો સાથે સંત સમિતિની નિમણૂક કરી છે. તે સમિતિ ચર્ચા-વિચારણા કરી ટૂંક સમયમાં નિર્ણય લેશે અને આપણા સનાતન હિન્દુ ધર્મના હિતમાં નિર્ણય લેશે.’ આ મીટિંગમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હાજર રહ્યા હતા. એ સિવાય RSSના રામ માધવ પણ મંદિરે પહોંચ્યા હતા. તો ગઢડા મંદિરના એસ.પી. સ્વામી, વડતાલ મંદિરના સંતો પણ મીટિંગમાં જોડાયા હતા. આશરે મીટિંગમાં લગભગ 3 કલાક ચર્ચા ચાલી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.