હાર્ટ ઍટેક માટે કોરોના વેક્સિન સહેજ પણ જવાબદાર નથી: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

ગુજરાતમાં છેલ્લાં કેટલાંયે સમયથી હાર્ટએટેકના કેસોમાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને યુવાનોના હાર્ટએટેકને કારણે મોત થઇ રહ્યા છે. લાંબા સમય પછી ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, હાર્ટએટેક માટે કોરાના વેક્સિન સહેજ પણ જવાબદાર નથી. તેમણે કહ્યું કે હાર્ટએટેક માટે લાઇફ સ્ટાઇલમાં બદલાવ જવાબદાર હોય શકે છે.

છેલ્લાં આઠેક મહિનાથી ગુજરાતમાં હાર્ટએટેકને કારણે અનેક યુવાનોના મોત થઇ રહ્યા છે, ખાસ કરીને નવરાત્રિના તહેવારમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક ઇવેન્ટમાં કહ્યુ હતુ કે, દુનિયામાં સૌથી સુરક્ષિત કોવિડ વેક્સિન આપણા દેશની છે. Indian Council of Medical Research (ICMR)એ પણ હાર્ટએટેક પર કરેલા અભ્યાસના એક રિપોર્ટમાં કહ્યું છે કે હાર્ટએટેક માટે કોરાના વેક્સિન જવાબદાર નથી.

આરોગ્ય મંત્રીએ કહ્યું કે, જંકફુડ, લાઇફ સ્ટાઇલમાં જોવા મળી રહેલો બદલાવ અને સ્ટ્રેસફુલ લાઇફ હાર્ટએટેક માટે જવાબદાર હોય શકે છે.

https://khabarchhe.com/uploads/mc_path/1699093620Rushikesh-Patel.jpg

તેમણે કહ્યુ કે હાર્ટ એટેકના વધતા કેસો વચ્ચે એવો હાઉ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે કોવિડ વેક્સિનને કારણે હાર્ટએટેકના કેસો વધી રહ્યા છે. પરંતુ આ વાતમાં સહેજ પણ તથ્ય નથી. આરોગ્ય મંત્રીએ કહ્યુ કે, ICMR ઘણી વખત સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે, દુનિયાભરમાં કોરાના માટે જે રસી શોધવામાં આવી તેમાં સૌથી સુરક્ષિત વેક્સિન આપણા દેશ ભારતની છે.દુનિયાના 79 દેશોમાં આપણી વેક્સિન મોકલવામાં આવી છે, પરંતુ ક્યાંયથી પણ એવા સમાચાર સામે નથી આવ્યા કે ભારતની વેક્સિનને કારણે હાર્ટએટેક આવી રહ્યા હોય.

આરોગ્ય મંત્રીએ આગળ કહ્યુ કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં પેસ્ટીસાઇડનો ઉપયોગ વધી રહ્યો છે, લોકોની રહેણીકરણીમાં મોટો બદલાવ આવ્યો છે, લોકો જંકફુડ ખાય રહ્યા છે. કોઇ પણ વ્યકિત વધારે કસરત કરે તો પણ શરીર પર ભાર આવે છે. તેમણે એક ઉદાહરણ આપતા કહ્યુ કે, એક વ્યક્તિની કેપેસિટી 10 કિલો વજનની છે અને તે 20 કિલો વજન ઉપાડે તો ગરદન કમર, હાથ પર ઇજા થઇ શકે. હાર્ટનું પણ આવું જ છે. વધારે પડતી કસરત કરવામાં આવે પછી માનસિક ભારણ વધી જાય છે. તેમણે કહ્યું કે દરેક વ્યકિતની હાર્ટની સમસ્યા જુદી જુદી હોય છે.

આરોગ્ય મંત્રીએ કહ્યું કે રાજ્યમાં વધતા જતા હાર્ટએટેકના કેસોના મામલે 4 નવેમ્બર, શનિવારે અમદાવાદમાં આવેલી યુ એન મહેતા હોસ્પિટલમાં નિષ્ણાત ડોકટર્સની પેનલ તમામ આંકડાઓનું વિશ્લેષણ કરશે. ખરેખર એટેકના કારણો કયા છે? કોરોના પહેલાં કેટલાં કેસો આવતા હતા? કોરાના પછી કેટલાં કેસ આવ્યા? આ બધી બાબતોનું હદયરોગ નિષ્ણાતો વિશ્લેષણ કરવાના છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.