રાજકોટમાં પાટીલની ગૂગલી, પાટીદાર નેતાને કહ્યું- આવો તો લોકસભા લઈ જઈએ

વર્લ્ડકપ વન-ડેની ભારત-પાકિસ્તાનની મેચ પછી બીજા જ દિવસે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે રાજકોટના એક કાર્યક્રમમમાં ગૂગલી ફેંકીને રાજકારણ ગરમાવી દીધું હતું. રાજકોટના જાણીતા કડવા પાટીદાર ઉદ્યોગપતિના જન્મ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પાટીલે કહ્યું કે તેમના માટે એવી ચર્ચા ચાલે છે કે તેમને લોકસભામાં લઇ જવાના છે. જો તેઓ આવવા તૈયાર થતા હોય તો તેમને લોકસભામાં લઇ જઇએ. લોકસભાની ચૂંટણી 2024મા છે અને પાટીલનું આ નિવેદન ઘણું સૂચક છે. પાટીલ જે પાટીદાર ઉદ્યોગપતિની વાત કરી રહ્યા હતા તેઓ દ્રારકા મંદિરના ટ્રસ્ટી છે અને બાન લેબ્સના માલિક છે. તેમના પુત્રના ભવ્યાતિભવ્ય લગ્ન સમારંભ માટે પણ આ પાટીદાર ઉદ્યોગકાર ચર્ચામાં રહ્યા હતા.

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર સમાજના અગ્રણી, દ્રારકા મંદિરના ટ્રસ્ટી મૌલેશભાઇ ઉકાણીનો રવિવારે જન્મ દિવસ હતો તે નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખે હળવી શૈલીમાં કહ્યુ હતું કે એવી ચર્ચા છે કે મૌલેશભાઇ ઉકાણીને લોકસભામાં લઇ જવાના છે, જો તેઓ તૈયાર હોય તો લોકસભામાં લઇ જઇએ.

પાટીલના આ નિવેદનને ઉપસ્થિત લોકોએ તાળીથી વધાવી લીધું હતું. જો કે, કાર્યક્રમ પત્યા પછી કડવા પાટીદાર ઉદ્યોગકાર મૌલેશભાઇએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, સી. આર. પાટીલની લાગણી શિરોમાન્ય છે, પરંતુ મારા રસ્તો ગાંધીનગર કે દિલ્હીનો છે જ નહીં, મારો રસ્તો તો દ્રારકાનો છે. મારી એવી વિનંતી છે કે લોકો મને આર્શીવાદ આપે કે હું દ્રારકાધીશના ચરણોમાં પહોંચી શકું. તેમણે સ્પષ્ટ કહ્યુ કે મારો રાજકારણમાં નહીં જવાનો નિર્ણય અંતિમ છે અને તેમાં કોઇ બદલાવ થવાનો નથી.

પત્રકારોએ મૌલિકભાઇને સવાલ કર્યો હતો કે સમાજ કહેશે તો રાજકારણમાં આવશો? તો ઉકાણીએ કહ્યું હતું કે, સમાજ મને સારી રીતે જાણે છે, હું રાજકારણમાં જવાનો નથી. ઉકાણીની વાત પછી હવે રાજકારણમાં જવાની તેમની ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.

જો કે રાજકોટના રાજકારણમાં સી આર પાટીલના નિવેદન પછી મોહન કુંડારીયાના નામની ચર્ચા શરૂ થઇ છે.

સી આર પાટીલે જે મૌલેશભાઇ ઉકાણીના નામનો ઉલ્લેખ કર્યો હતો તેઓ તેમની સેસા ઓઇલ કંપની વેચીને 1200 કરોડ રૂપિયા કમાયા હતા. તેમના પિતાએ માત્ર 16,000ના રોકાણથી શરૂ કરેલી બાન લેબ્સને મૌલેશભાઇએ ઉંચાઇએ પહોંચાડી છે. આજે તેમની કંપનીનું કરોડો રૂપિયાનું ટર્નઓવર છે. તેઓ 40 જેટલી સામાજિક સંસ્થા સાથે પણ જોડાયેલા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.