સૌરાષ્ટ્ર-કચ્છ દરિયા કિનારાથી પસાર થશે વાવાઝોડું બિપરજોય, પાકિસ્તાનમાં...

ચક્રવાતી વાવાઝોડું બિપરજોય જેમ-જેમ આગળ વધતું જઈ રહ્યું છે, તેમ-તેમ વિકરાળ સ્વરૂપ ધારણ કરતું જઈ રહ્યું છે. આ ચક્રવાતની અસર કેરળ અને મુંબઈના સમુદ્રમાં નજરે પડી રહી છે. આ બંને જ જગ્યાઓ પર સમુદ્રમાં ઊંચી ઊંચી લહેરો ઉઠી રહી છે. હવામાન વિભાગે ચક્રવાતી વાવાઝોડું બિપરજોયને જોતા સૌરાષ્ટ્ર કચ્છ માટે ચેતવણી જાહેર કરી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ચક્રવતી વાવાઝોડું 14 તારીખની સવાર સુધી જખૌ બંદર પાસે માંડવી અને કરાચી (પાકિસ્તાન) વચ્ચે પાકિસ્તાનના કિનારાઓને પાર કરશે.

આ દરમિયાન હવાની ગતિ 125-135 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને  150 કિલોમીટર સુધી પહોંચી શકે છે. કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાનાર વાવાઝોડું બિપરજોયને લઈને NDRFની 7 ટીમો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવી છે. SDRFની પણ ટીમો તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ ચક્રવાતથી પોરબંદર, દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી સૌથી વધુ પ્રભાવિત થનારા જિલ્લા છે. તો લો લાઇન વિસ્તારના સમુદ્ર કિનારા પર રહેનારા લોકોનું સ્થળાંતર આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે.

આખા કોસ્ટલ વિસ્તારમાં 10 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. ગુજરાત સરકારના અલગ-અલગ મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયાને કચ્છ, હર્ષ સંઘવીને દ્વારિકા, મુળુભાઈ બેરાને જામનગરની જવાબદારી સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, હાલના વર્ષોમાં અરબ સાગરમાં ચક્રવાતી તોફાનોની સંખ્યા અને ગંભીરતમાં વધારો થયો છે, જે સંભવિત રૂપે ગ્લોબલ વોર્મિંગ સાથે જોડાયેલ છે. લગભગ 10 દિવસ સુધી અરબ સાગર ઉપર એક ચક્રવાતના રૂપમાં ઉપસ્થિત રહ્યા બાદ, 6 જૂનના રોજ ચક્રવાતી તોફાનમાં બદલાનાર બિપરજોય કચ્છના કિનારે ટકરાવાની આશા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કિનારાઓ માટે હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ બાદ તૈયારીઓના કારણે દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, પોરબંદર અને કચ્છના તટિય વિસ્તારો સહિત સૌરાષ્ટ્રમાં સોમવારે શાળા બંધ કરી દેવામાં આવી.

હવામાન વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આગામી દિવસોમાં એ સ્પષ્ટ જગ્યાની જાણકારી મળી જશે, જ્યાંથી ચક્રવાતી તોફાન પસાર થશે. બિપરજોય 6 જૂનના રોજ વિકસિત થયા બાદ તેના માર્ગ અને તીવ્રતાને લઈને ખૂબ અનિશ્ચિત્તતની સ્થિતિ છે. તોફાન શરૂઆતી દિવસોથી મજબૂત થયું અને અરબ સાગર ગરમ હોવાના કારણે તે મજબૂતી યથાવત રહી. હવામાન વિભાગે 15 જૂન સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના તટિય વિસ્તારોમાં માછલી પકડવા સંબંધિત ગતિવિધિઓ પર પૂરી રીતે રોકવાની સલાહ આપી છે અને માછીમારોને12-15 જૂન વચ્ચે મધ્ય અરબ સાગર અને ઉત્તરી અરબ સાગર તેમજ 15 જૂન સુધી સૌરાષ્ટ્ર-કચ્છ કિનારાઓ પાસે ન જવાના નિર્દેશ આપ્યા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.