ગુજરાત હાઈકોર્ટે કહી દીધું- અધિકારીઓમાં ટ્રાફિક નિયમોનો અમલ કરવાની હિંમત જ નથી

અમદાવાદમાં ગયા અઠવાડિયે થયેલા કાર અકસ્માતનો ઉલ્લેખ કરતાં ગુજરાત હાઈકોર્ટે અધિકારીઓની આકરી ઝાટકણી કરી હતી. આ કાર અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા. હાઈકોર્ટે કહ્યું કે, શહેરના અધિકારીઓમાં ટ્રાફિક નિયમોનો અમલ કરવાની હિંમત જ નથી. જસ્ટિસ A.S. સુપેહિયા અને જસ્ટિસ M.R. મેંગડેની ખંડપીઠે કહ્યું કે, જો પોલીસે નિયમિત તપાસ કરી હોત તો આ અકસ્માત ન થયો હોત. ગુજરાત સરકાર અને અમદાવાદ શહેરના અધિકારીઓ સામે મુસ્તાક હુસૈન કાદરીએ દાખલ કરેલી કોર્ટની અવમાનનાની અરજીની ખંડપીઠ સુનાવણી કરી રહી હતી. ગુજરાત સરકાર અને અમદાવાદ શહેરના અધિકારીઓ પર શહેરમાં ટ્રાફિક નિયમોને લઈને કાદરીની PIL પર બહાર પડાયેલા હાઈકોર્ટના નિર્દેશોનું પાલન ન કરવાનો આરોપ છે.

ગત 20 જુલાઈના રોજ S.G. હાઇવે ફ્લાયઓવર પર એક ઝડપી જગુઆર કાર લોકોના ટોળા સાથે અથડાઈ હતી, જેમાં નવ લોકોના મોત થયા હતા અને 13 જણા ઘાયલ થયા હતા. જસ્ટિસ સુપેહિયાએ કહ્યું, 'શું તમે મૂળ મુદ્દો જાણો છો? આ બધું કેમ થઈ રહ્યું છે, તેનું સાચું કારણ એ છે કે, આ ગુનેગારોને કાયદાનો કોઈ ડર નથી. તે ગુનેગારો ખુલ્લેઆમ, કાનૂની સજાને ધ્યાનમાં લીધા વિના કાયદાનું ઉલ્લંઘન કરે છે.'

હાઈકોર્ટના ન્યાયાધીશે કહ્યું, 'તમારી પાસે ટ્રાફિકના કાયદાનો અમલ કરવાનો કોઈ ઠોસ મુદ્દો નથી, ન તો તમારામાં તેનો અમલ કરવાની ઈચ્છા..., તમે CCTV કેમેરાની બડાઈ મારી રહ્યા હતા. આ ઘટનામાં CCTV કેમેરા કામ ન કરતા હોવાની હકીકત સામે આવી હતી. કોન્સ્ટેબલો પણ ટ્રાફિકના નિયમોના ભંગ સામે મૂક પ્રેક્ષક બની રહેતા હોય છે.

જ્યારે સરકારી વકીલે ધ્યાન દોર્યું કે, ટ્રાફિક પોલીસે વાહનો અને ચાલકોના લાઇસન્સ તપાસવાનું શરૂ કર્યું છે, ત્યારે ન્યાયાધીશે પૂછ્યું કે, શું તેઓ કોઈ અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યા હતા. જસ્ટિસ સુપેહિયાએ કહ્યું, 'તમે અકસ્માત થવાની રાહ જુઓ છો, તમે જાનહાનિ થવાની ઘટના બને તેની રાહ જુઓ છો? જો તમે ટ્રાફિકના ઉલ્લંઘન માટે નિયમિતપણે તપાસ કરી હોત તો આ બન્યું ન હોત. આ (તપાસ) માત્ર થોડા દિવસો માટે જ ચાલશે..., તમે અત્યારે જે ઝુંબેશ ચલાવી રહ્યા છો, તે નિયમિત રીતે ચાલવી જોઈએ.

About The Author

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.