દીકરીનો ફોન આવ્યો-'પપ્પા આણુ લેવા આવજો' પણ આવે એ પહેલા લગ્નના 2 દિવસ બાદ જ આપઘાત

ગુજરાતમાં એક એવી ઘટના સામે આવી છે જે કોઇ પણ પિતા માટે આઘાત જનક છે. બે દિવસ પહેલાં દીકરીને ધામધૂમથી દુલ્હનના જોડામાં દીકરીને સાસરે વળાવી હતી અને બે દિવસ પછી રેશમના દુપટ્ટામાં દીકરી લટકતી જોવા મળી. સૌથી મોટી દીકરીના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા હતા.

ગોધરાના મોરડુંગરા ગામમાં રહેતા એક પિતાએ પોતાની સૌથી મોટી પુત્રીના હજુ બે દિવસ પહેલાં જ ધામધૂમથી લગ્ન કરાવીને સાસરે વળાવી હતી. ઘરમાં દીકરીના લગ્નનો પહેલો પ્રસંગ હતો એટલે બધા ખુશીથી લગ્નમાં નાચ્યા પણ હતા, પરંતુ જ્યારે બે દિવસ પછી આણું વાળવા માટે દીકરીને સાસરેથી લાવવા માટેની તૈયારી ચાલતી હતી તે પહેલાં જ સાસરીયાનો મેસેજ આવ્યો કે તમારી દીકરીએ ફાંસો ખાઇ લીધો છે. જે પિતા પોતાની દીકરીને વળાવીને ખુશીની પળો માણી રહ્યા હતા તેમને આ સમાચાર મળતાની સાથે જાણે પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. જે દીકરીને દુલ્હનના જોડામાં મોકલી હતી તે દીકરી રેશમના દુપટ્ટામાં લટકતી જોવા મળી હતી.

ગોધરાના મોરડુંગરામાં રહેતા અરવિંદભાઇ જાલૈયાની મોટી પુત્રી ઉર્વશીના 13 માર્ચે મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામમાં લગ્ન થયા હતા. 15 માર્ચે ઉર્વશીને આણું વળાવવા માટે સાસરે લેવા જવાની તૈયારી ચાલતી હતી. ઉર્વશી M.A.ની પરીક્ષા આપી રહી હતી. લગ્નના દિવસે દીકરી અને જમાઇ પિતાને મળવા આવ્યા હતા અને ખુશ હતા. એ જ દિવસે રાત્રે ઉર્વશીએ તેના પિતા અરવિંદભાઇને ફોન કરીને કહ્યું કે, પપ્પા, મારી પરીક્ષાનું પેપર બપોરે પુરુ થાય પછી આણું વળાવવા માટે આવજો.

પરંતુ બીજે દિવસે સવારે ઉર્વશીના સાસરીયાના ફોન આવ્યો કે તમારી દીકરીએ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.  અરવિંદભાઇના પરિવારના માથે તો જાણે આભ તુટી પડ્યું હતું, હજુ તો બે દિવસ પહેલાં જ દીકરીને વળાવી અને આવા દુખના સમાચાર મળ્યા. પિતા માટે આ વસમો ઘા હતો, કારણકે આગલા દિવસે તો દીકરીએ ફોન પર વાત કરી હતી ત્યારે કેવો કોઇ અંદેશો પણ નહોતો આવ્યો. અરવિંદ ભાઇને 3 પુત્રીઓ છે અને તેમાં સૌથી મોટી પુત્રી ઉર્વશી છે.

ઉર્વશીના આપઘાતનું કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.