ગોપાલ ઈટાલીયા સહિત 5 સામે માનહાનીનો દાવો, પોરબંદર કોર્ટમાં કેસ થયો

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિત 5 લોકો સામે પોરબંદર ચીફ કોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લાના આમ આદમી પાર્ટીના સંયોજક કેયુર જોષીને કોઇપણ કારણદર્શક નોટીસ આપ્યા વિના કે જાણ કર્યા વીના તેમને પક્ષમાંથી બરખાસ્ત કર્યા બાદ તેનો લેટર સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો જેને લઇને આ બદનક્ષીનો દાવો પોરબંદરની કોર્ટમાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે પોરબંદરના કેયુર જોષીએ એવું જણાવ્યું છે કે તેઓ આમ આદમી પાર્ટી પોરબંદર જિલ્લાના સંયોજક તરીકે કામ કરી રહ્યાં હતા. પરંતુ કોઇ પણ કારણદર્શક નોટીસ કે જાણ કર્યા વીના સામાજીક, રાજકીય કારકીર્દિ સમાપ્ત કરવા માટે સોશ્યલ મીડિયાના માધ્યમથી બરખાસ્ત લેટર વાયરલ કરવામાં આવ્યો હતો.

ગત તા.3-9-2021ના રોજ આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા તેમજ અન્યો દ્વારા સોશ્યલ મીડિયામાં બરખાસ્તનો લેટર વાયરલ કરવામાં આવ્યો હતો અને રાજકીય, સામાજીક કારકીર્દિ ખરડાય એ રીતે કેયુર જોષીને સમાજમાં બદનામ કરવાના ઇરાદે જાણીજોઇને સસ્પેન્શન લેટર કે પાર્ટી નિયમ મુજબ કારણદર્શક નોટીસ આપ્યા વગર સોશ્યલ મીડિયામાં લેટર વાયરલ કરવામાં આવ્યો છે. આથી ગોપાલ ઇટાલીયા તેમજ અન્ય 5 વિરૂદ્ધ ચિફ કોર્ટ પોરબંદરમાં માનહાનીનો દાવો દાખલ કરવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

85 ટકા ઈથેનોલ પર ચાલનારી મારુતિની કાર પણ આવી ગઈ, ગડકરીએ જ લોન્ચ કરી

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ આજે ​​સ્થાનિક બજારમાં તેની પહેલી ફ્લેક્સ-ફ્યુઅલ કાર (વેગન R ફ્લેક્સ ફ્યુઅલ)...
Tech and Auto 
85 ટકા ઈથેનોલ પર ચાલનારી મારુતિની કાર પણ આવી ગઈ, ગડકરીએ જ લોન્ચ કરી

સૌથી મોટી ગોલ્ડ રિફાઇનરી કંપનીમાં 15 લાખ કરોડની છેતરપિંડી! SEBIના રિપોર્ટમાં ખુલાસો

વિશ્વની સૌથી મોટી ગોલ્ડ રિફાઇનરી, વાલ્કેમ્બી SAની માલિકી ધરાવતી ભારતીય કંપની રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડમાં મોટી નાણાકીય ગેરરીતિઓનો પર્દાફાશ...
Business 
સૌથી મોટી ગોલ્ડ રિફાઇનરી કંપનીમાં 15 લાખ કરોડની છેતરપિંડી! SEBIના રિપોર્ટમાં ખુલાસો

ડૉ. સતીશ પટેલને 'સ્વામી વિવેકાનંદ લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ'

સ્વામી વિવેકાનંદ બાલિકા શિક્ષા પ્રચાર સમિતિ, જયપુર દ્વારા શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અનુકરણીય કાર્ય તથા સિદ્ધિ માટે દેશના 5 શિક્ષણવિદોની...
Gujarat 
ડૉ. સતીશ પટેલને 'સ્વામી વિવેકાનંદ લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ'

કેજરીવાલના શીશ મહેલનો વિરોધ કરતા દિલ્હીના CM રેખા ગુપ્તા પોતે 66000ની ખુરશી  પર બેસે છે

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલી એક તસવીરે ઇન્ટરનેટ જગતને બે ભાગમાં વહેંચી દીધું...
National 
કેજરીવાલના શીશ મહેલનો વિરોધ કરતા દિલ્હીના CM રેખા ગુપ્તા પોતે 66000ની ખુરશી  પર બેસે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.