ગોપાલ ઈટાલીયા સહિત 5 સામે માનહાનીનો દાવો, પોરબંદર કોર્ટમાં કેસ થયો

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિત 5 લોકો સામે પોરબંદર ચીફ કોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લાના આમ આદમી પાર્ટીના સંયોજક કેયુર જોષીને કોઇપણ કારણદર્શક નોટીસ આપ્યા વિના કે જાણ કર્યા વીના તેમને પક્ષમાંથી બરખાસ્ત કર્યા બાદ તેનો લેટર સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો જેને લઇને આ બદનક્ષીનો દાવો પોરબંદરની કોર્ટમાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે પોરબંદરના કેયુર જોષીએ એવું જણાવ્યું છે કે તેઓ આમ આદમી પાર્ટી પોરબંદર જિલ્લાના સંયોજક તરીકે કામ કરી રહ્યાં હતા. પરંતુ કોઇ પણ કારણદર્શક નોટીસ કે જાણ કર્યા વીના સામાજીક, રાજકીય કારકીર્દિ સમાપ્ત કરવા માટે સોશ્યલ મીડિયાના માધ્યમથી બરખાસ્ત લેટર વાયરલ કરવામાં આવ્યો હતો.

ગત તા.3-9-2021ના રોજ આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા તેમજ અન્યો દ્વારા સોશ્યલ મીડિયામાં બરખાસ્તનો લેટર વાયરલ કરવામાં આવ્યો હતો અને રાજકીય, સામાજીક કારકીર્દિ ખરડાય એ રીતે કેયુર જોષીને સમાજમાં બદનામ કરવાના ઇરાદે જાણીજોઇને સસ્પેન્શન લેટર કે પાર્ટી નિયમ મુજબ કારણદર્શક નોટીસ આપ્યા વગર સોશ્યલ મીડિયામાં લેટર વાયરલ કરવામાં આવ્યો છે. આથી ગોપાલ ઇટાલીયા તેમજ અન્ય 5 વિરૂદ્ધ ચિફ કોર્ટ પોરબંદરમાં માનહાનીનો દાવો દાખલ કરવામાં આવ્યો છે.

About The Author

Top News

બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ગુજરાતમાં સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ખેંચવાની તારીખ 15 એપ્રિલ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું...
Politics 
બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે બરાબરનો માહોલ જામ્યો છે. પાર્ટીઓએ આપેલા મેન્ડેટ બાદ હવે બધા ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ પ્રચાર...
Gujarat 
ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

જ્યારે ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્માને એક્સાઈઝ પોલિસી કેસની સુનાવણીમાંથી દૂર રહેવાની અપીલ કરી...
National 
'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

મેકગ્રાએ પ્રફુલ હિંગેનું ક્રિકેટ કરિયર કેવી રીતે બદલી નાખ્યું

એક તરફ, મેદાન પર વિનાશક બોલિંગ, અને બીજી તરફ, ઘરે ખુશી... આ પ્રફુલ હિંગેના IPL ડેબ્યૂની સાચી...
Sports 
મેકગ્રાએ પ્રફુલ હિંગેનું ક્રિકેટ કરિયર કેવી રીતે બદલી નાખ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.