ગોપાલ ઈટાલીયા સહિત 5 સામે માનહાનીનો દાવો, પોરબંદર કોર્ટમાં કેસ થયો

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિત 5 લોકો સામે પોરબંદર ચીફ કોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લાના આમ આદમી પાર્ટીના સંયોજક કેયુર જોષીને કોઇપણ કારણદર્શક નોટીસ આપ્યા વિના કે જાણ કર્યા વીના તેમને પક્ષમાંથી બરખાસ્ત કર્યા બાદ તેનો લેટર સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો જેને લઇને આ બદનક્ષીનો દાવો પોરબંદરની કોર્ટમાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે પોરબંદરના કેયુર જોષીએ એવું જણાવ્યું છે કે તેઓ આમ આદમી પાર્ટી પોરબંદર જિલ્લાના સંયોજક તરીકે કામ કરી રહ્યાં હતા. પરંતુ કોઇ પણ કારણદર્શક નોટીસ કે જાણ કર્યા વીના સામાજીક, રાજકીય કારકીર્દિ સમાપ્ત કરવા માટે સોશ્યલ મીડિયાના માધ્યમથી બરખાસ્ત લેટર વાયરલ કરવામાં આવ્યો હતો.

ગત તા.3-9-2021ના રોજ આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા તેમજ અન્યો દ્વારા સોશ્યલ મીડિયામાં બરખાસ્તનો લેટર વાયરલ કરવામાં આવ્યો હતો અને રાજકીય, સામાજીક કારકીર્દિ ખરડાય એ રીતે કેયુર જોષીને સમાજમાં બદનામ કરવાના ઇરાદે જાણીજોઇને સસ્પેન્શન લેટર કે પાર્ટી નિયમ મુજબ કારણદર્શક નોટીસ આપ્યા વગર સોશ્યલ મીડિયામાં લેટર વાયરલ કરવામાં આવ્યો છે. આથી ગોપાલ ઇટાલીયા તેમજ અન્ય 5 વિરૂદ્ધ ચિફ કોર્ટ પોરબંદરમાં માનહાનીનો દાવો દાખલ કરવામાં આવ્યો છે.

About The Author

Top News

સુરતની હાલત પર રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા પણ પરેશાન

સુરત મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ આ એક વીડિયોથી પોકળ સાબિત થયા છે. ભાજપના જ સાંસદે વીડિયો બનાવીને તંત્રની નિષ્ક્રિયતા પર...
Gujarat 
સુરતની હાલત પર રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા પણ પરેશાન

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી- આગામી 48 કલાકમાં અતિભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં ફરી એકવાર મેઘાએ મંડાણ માંડ્યા છે છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ છે, ...
Gujarat 
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી- આગામી 48 કલાકમાં અતિભારે વરસાદની શક્યતા

અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી દીપડાની હાજરીથી લોકોમાં ભયનો માહોલ

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી દીપડાની હાજરીને પગલે નાગરિકોમાં રે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પહેલા શેલા વિસ્તારમાં દીપડો દેખાયો...
Gujarat 
અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી દીપડાની હાજરીથી લોકોમાં ભયનો માહોલ

દિલ્હી તરફ કૂચ કરી રહેલા અન્નદાતાઓને મોટી રાહત, સરકારે 2 મુખ્ય માંગણીઓ સ્વીકારી

'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના વિરોધ પ્રદર્શન વચ્ચે, મંગળવારે મોટી સંખ્યામાં ખેડૂતો પ્રસ્તાવિત ભારત-અમેરિકા વેપાર કરારનો વિરોધ...
National 
દિલ્હી તરફ કૂચ કરી રહેલા અન્નદાતાઓને મોટી રાહત, સરકારે  2 મુખ્ય માંગણીઓ સ્વીકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.