કાજલ હિંદુસ્તાની સામે કાર્યવાહીની માગ, ઉનામાં હિંદુ સંમેલનમાં ભડકાઉ ભાષણનો આરોપ

ગુજરાતના વડોદરામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પત્થરબાજીના પ્રકરણ પછી હવે ગીર સોમનાથના ઉનામાં પણ સ્શિતિ તનાવપૂર્ણ બની છે. એવો આરોપ છે કે રામનવમીના એક કાર્યક્રમમાં એક ખાસ સમાજને ટાર્ગેટ કરીને નફરત ફેલાવવા માટે તેજાબી ભાષણ કરવામાં આવ્યું હતું. એ પછી સાંપ્રદાયિક તનાવ ફેલાયો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે અને SRPની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસની ટીમો સતત સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહી છે. એક ખાસ સમાજના લોકોની માંગ છે કે વિશ્વ હિંદુ પરિષદના સંમેલનમાં હાજર રહેલા કાજલ હિંદુસ્તાની સામે કાર્યવાહી કરવામાં આવે. કાજલ પર આરોપ છે કે તેણીએ એક સમાજ પર નિશાન સાધીને ભડકાઉ ભાષણ આપ્યું હતું જેને કારણે ઉનામાં સ્થિતિ બગડી છે.

પોલીસે હજુ સુધી કાજલ હિંદુસ્તાની સામે FIR નોંધી નથી, અત્યારે તો પોલીસ લોકોને સમજાવવાની કોશિશ કરી રહી છે, પરંતુ ખાસ સમાજના લોકો એ વાત પર અડી ગયા છે કે પહેલાં કાજલ સામે કાર્યવાહી કરવામાં આવે. ગીર સોમનાથ જિલ્લાના પોલીસ સુપ્રિન્ટેડન્ટ શ્રીપાલ શેષમાએ કહ્યું કે, જો પીડિત સમાજના લોકો ફરિયાદ નોંધાવશે તો કાજલ હિંદુસ્તાની સામે FIR કરવાં આવશે.શ્રીપાલ શેષમાએ કહ્યુ કે, પોલીસ તરફથી શાંતિ સ્થાપિત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. બંને સમાજના સ્થાનિક પ્રતિનિધિઓ સાથે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે અને સ્થિતિને સામાન્ય કરવાની અપીલ કરવામાં આવી છે.

ગીર સોમનાથના ઉનામાં 30 માર્ચે રામનવમી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ દ્રારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગરના કાજલ હિંદુસ્તાનીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમમાં કાજલે એક ખાસ સમાજ સામે નિશાન સાધીને ભાષણ આપ્યું હતું જેને કારણે કોમી તનાવ ઉભો થયો હતો તેવો આરોપ છે.

કાજલની સામે FIRની માંગને પગલે રાજકારણ પણ ગરમાયું છે. ભાજપના ધારાસભ્ય કાલુ રાઠોડે કહ્યુ કે બંને પક્ષના પ્રતિનિધિઓ એકબીજાને સાંભળ્યા છે, હાથ મેળવ્યા છે અને એવું આશ્વાસન આપ્યું છે કે આ વિસ્તારમાં કોઇ પણ અપ્રિય ઘટના બનશે નહીં. બંને સમાજના લોકોએ દુકાનો ખોલવા અને બિઝનેસ ચાલુ કરી દેવાની અપીલ કરી છે.

કાજલ હિંદુસ્તાની મુળ રાજસ્થાનના શિરોહીના છે અને તેમના લગ્ન જામનગરમાં થયેલાં છે. કાજલ 2016માં તેમના એક તેજાબી અભિપ્રાયને કારણે સોશિયલ મીડિયા પર જાણીતા થયા હતા.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.