બોટાદમાં કોંગ્રેસનું ફોર્મ રદ્દ કરવા શા માટે રજૂઆત કરવામાં આવી?

બોટાદના કોંગ્રેસનું ફોર્મ પરત ખેંચનારા ઉમેદવાર મનહર પટેલે જણાવ્યું હતું કે બોટાદના ચુંટણી અધિકારીએ ભાજપના સૌરભ દલાલના ઇશારે કોંગ્રેસના ધીરાજલાલ કળથીયા(ડી. એમ. પટેલ)નું ખોટુ ફોર્મ મંજુર રખાવ્યુ અને મારા બંધારણીય હકક છીનવાયા છે, મારા સતાવાર કોંગ્રસનુ ફોર્મ ભરાયા બાદ ૨ જ કલાક બાદ કોંગ્રેસે બીજુ મેન્ડેટ ઇસ્યુ કર્યુ અને ચુંટણી અધિકારીએ મારુ ફોર્મ રદ્દ કર્યું પરંતુ જેમનું ફોર્મ રદ્દ થવા લાયક હતું તે રદ્દ કરાયુ નથી. તેથી ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવશે.

ધીરજલાલ કળથીયાએ ફોર્મનો ભાગ 1 ખોટી રીતે ભર્યો છે. તેમાં સહી કરનારની વિધાનસભા બતાવી નથી. તેથી તેનુ ફોર્મ રદ્દ થવું જોઇએ જે તેના ફોર્મમાં સ્પષ્ટ જણાય છે છતાં ચુટણી અધીકારીએ તેમનુ ફોમ શા માટે રદ્દ કયુ નથી તે એક મોટી શંકા છે. આ ખેલ રિલાયન્સના જમાઈના ઈશારે થયો છે.

આ ઉપરાંત બોટાદ વિધાનસભાની ચુટણી સંદર્ભમાં સ્ક્રુટીનીમાં મે રજુઆત કરી હતી કે ધીરજલાલ કળથીયા કે જેમને કોંગ્રેસે બીજો મેન્ડેટ મારા પછી 2 કલાકે ઇસ્યુ કયોઁ અને તેમને બોટાદ વિધાનસભાનુ ફોર્મ ભર્યુ પરંતુ તેમના ભાગ એકના ફોર્મમાં દરખાસ્ત મુકનારે કયાય સ્પષ્ટ નથી કયુઁ કે તે 107 બોટાદ વિધાનસભા બેઠક પર દરખાસ્ત મુકી રહ્યા છે.

મનહર પટેલે જણાવ્યું હતું કે જે ગંભીર ભુલ ખરેખર સ્ક્રુટીનીમાં ચુટણી અધિકારીએ પોતાની તપાસમા રદ્દ કરવુ જોઇતુ હતુ. પરંતુ તેમને રદ્દ ન કર્યું, ઉપરાંત અમે તે અંગે રુબરુમાં જણાવી છીએ તો પણ ચુંટણી અધિકારીએ રદ્દ ન કરી પોતે ભારતીય જનતા પાર્ટીના સીધા ઇશારા પર કામ કરતાં હોય તેવી મને શંકા ગઇ છે.

તેમણે જણાવ્યું કે મેં મારી રજુઆત મુખ્ય ચુટણી અધિકારીને તમામ વિગતો સાથે કરી છે કે ધીરજલાલ કળથીયાનુ ફોર્મ રદ્દ કરવુ અથવા બોટાદની ચુટણી પ્રક્રીયા સ્થગીત કરવી.  મારી ઉમેદવારી રદ્દ થઈ છતાં કોંગ્રેસના નેતાઓ મને જાણ પણ કરતા નથી અને બીજો મેન્ડેટ આપી દે છે. જે ગંભીર ભુલ ખરેખર સ્ક્રુટીનીમાં ચુટણી અધિકારીએ પોતાની તપાસમા રદ્દ કરવુ જોઇતુ હતુ. પરંતુ તેમને રદ્દ ન કર્યું, ઉપરાંત અમે તે અંગે રુબરુમાં જણાવી છીએ તો પણ ચુંટણી અધિકારીએ રદ્દ ન કરી પોતે ભારતીય જનતા પાર્ટીના સીધા ઇશારા પર કામ કરતાં હોય તેવી મને શંકા ગઇ છે.

તેમણે જણાવ્યું કે મેં મારી રજુઆત મુખ્ય ચુટણી અધિકારીને તમામ વિગતો સાથે કરી છે કે ધીરજલાલ કળથીયાનુ ફોર્મ રદ્દ કરવુ અથવા બોટાદની ચુટણી પ્રક્રીયા સ્થગીત કરવી. મારી ઉમેદવારી રદ્દ થઈ છતાં કોંગ્રેસના નેતાઓ મને જાણ પણ કરતા નથી અને બીજો મેન્ડેટ આપી દે છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.