એક વિવાદ શાંત થયો ત્યાં બીજો ઉભો થયો, હવે કિંગ ઓફ સાળંગપુરનું તિલક બદલવા માગ

સાળંગપુર હનુમાન મંદિરના ભીંતચિંતોનો વિવાદ હજુ માંડ શાંત પડ્યો છે ત્યારે હવે બીજો વિવાદ ઉભો થયો છે. કિંગ ઓફ સાંળગપુરની પ્રતિમા પર જે તિલક લગાવવામાં આવ્યું છે તે બદલીને સનાતન ધર્મનું તિલક લગાવાની માંગ ઉઠી છે.

સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોમાં હનુમાન દાદાને સ્વામીનારાયણના સેવક બતાવાયા હોવાનું ધ્યાન પર આવતા એક સપ્તાહથી વિવાદ ચાલતો હતો. ગુજરાતના સાધુ સંતોએ સાળંગપુરના કોઠારી સ્વામી સાથે બેઠક કર્યા પછી બે દિવસમાં વિવાદીત ભીંત ચિત્રો હટાવી દેવામાં આવ્યા હતા.ત્યારે બધાને થયું હતું કે હાશ, ચાલો વિવાદ શમી તો ગયો. પરંતુ હવે કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાનું તિલક બદલવાનો વિવાદ ઉભો થયો છે.

બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંતે કિંગ ઓફ સાંળગપુરની પ્રતિમા પર જે સ્વામીનારાયણ સંપ્રદાયનું તિલક લગાવવમાં આવ્યું છે તેને બદલવાની માંગ કરી છે. આ માટે મંદિરના મહંત સનાતન ધર્મનું તિલક લઇને સાળંગપુર પહોંચશે.

બોટાદના રોકડીયા હનુમાન મંદિરના મહંત પરમેશ્વર મહારાજે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હનુમાનદાદાને સનાતન ધર્મનું તિલક લગાવવામાં આવશે. આ માટે ચાંદીનું તિલક બનાવડાવવામાં આવ્યું છે, એ ચાંદીનું તિલક હનુમાનદાદાની પ્રતિમાને લગાવવામાં આવશે.

સોમવારે મોરબીમાં રામાનંદી સાધુ સમાજ અને ત્રિપાંખ સાધુ સમાજ દ્રારા કલેકટર કચેરીમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં સાળંગપુર મંદિરમાં હનુમાનદાદાની વિશાળ પ્રતિમા પર જે તિલક લગાવવામાં આવ્યું છે તે બદલવાની માંગ કરવામાં આવી હતી.

લગભગ 30 ઓગસ્ટથી સાળંગપુર મંદિરમા હનુમાનદાદાના અપમાનનો વિવાદ શરૂ થયો હતો અને વિવાદિત ભીંતચિતો હટાવવવા માટે સાધુ સંતો સહિત અનેક લોકોએ માંગ કરી હતી. ભારે વિવાદને કારણે મંદિર પરિસરમાં મોટા પાયે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. છતા એક વ્યકિત સાળંગપુર મંદિરમાં કુહાડી સાથે ઘુસી ગયો હતો અને તેણે ભીંતચિંત્રોને નુકશાન પહોંચાડવાની કોશિશ કરી હતી, પરંતુ એ પહેલાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

સાધુ સંતો અને સમાજના અગ્રણીઓએ મનોમંથન કરીને વિવાદ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો અને આખરે સાળંગપુર મંદિરમાંથી બધા વિવાદીત ભીંતચિત્રો હટાવી દેવામાં આવ્યા હતા.

લોકો એવું ઇચ્છે કે હવે નવો વિવાદ ઉભો થયો છે તે પણ ઝડપથી શાંત થઇ જાય.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.