Video: સાળંગપુર પરિસરમાં વ્યક્તિ ઘૂસી ગયો, ભીંતચિત્ર પર કુહાડી મારી, કાળો કલર...

સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિના બેઝમાં કંડારવામાંઆવેલા મ્યૂરલમાં હનુમાનજી સ્વામીનારાયણને પ્રણામ કરતી મુદ્રામાં દર્શાવતા વિવાદ વકર્યો છે. જેનો અનેક સાધુસંતો, લોક કલાકારો સહિત અનેક લોકો વિરોધ કરી રહ્યા છે. છેલ્લાં ત્રણેક દિવસથી ચાલી રહેલા વિવાદમાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, છતા શનિવારે એક હનુમાન ભક્ત મંદિર પરિસરમાં ઘુસી ગયો હતો અને ભીંતચિત્રને કુહાડીથી તોડવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ભીંતચિત્રો પર કાળા કલરથી પોતું પણ ફેરવી દીધું હતું. પોલીસે એની ધરપકડ કરી લીધી છે.

સાળંગપુર મંદિરમાં હનુમાનદાદાને સ્વામીનારાયણ ભગવાનને પગે લાગતા ભીંતચિત્રથી વકરેલા વિવાદમાં શનિવારે એક ભક્ત કુહાડી લઇને ઘુસી જતા ભારે ચર્ચા જાગી છે. નવાઇની વાત એ છે કે વિવાદ પછી પોલીસનો કાફલો મંદિરની આજુબાજુ બંદોબસ્ત માટે ગોઠવી દેવાયો હતો છતા એક ભક્તે મંદિર પરિષરમાં ઘુસીને હનુમાન દાદા વાળા એ ભીંતચિંત્રને કુહાડીથી તોડવાનો પ્રયાસ કર્યો હતો અને ચિત્રો પર કાળું કપડાથી પોતું મારી દીધું હતું. ભક્તને પરિસરમાં જોઇને પોલીસ હેબતાઇ ગઇ હતી અને તાત્કાલિક તેની ધરપકડ કરવામાં આવી હતી.

બોટાદના SP કિશોર બલોળિયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, મંદિર પરિસરમાં ભીંતચિત્રો પર હુમલો કરનાર વ્યકિતની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની ઓળખ હર્ષદ ગઢવી તરીકે થઇ છે. હર્ષદ ગઢવી ગઢડા તાલુકાના ચારણકીનો રહેવાસી છે.SPએ કહ્યુ કે મંદિરમાં પોલીસ બંદોબસ્ત રાખેલો છે, પરંતુ મંદિરની વિશાળ જગ્યા છે અને બાજુમાં પાર્કિંગ અને ગાર્ડન છે. હર્ષદ ગાર્ડનમાંથી છુપાઇને હનુમાનદાદાની પ્રતિમા સુધી પહોંચી ગયો હતો. પ્રતિમાને હવે વાંસથી કોર્ડન કરી દેવામાં આવી છે અને જે કાળો કલર લગાવવામાં આવ્યો છે તેને દુર કરવામાં આવી રહ્યો છે.

પોલીસે કહ્યું કે હર્ષદ ગઢવીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની સાથે બીજું કોઇ હતું કે કેમ અને તે મંદિર પરિષરમાં કેવી રીતે પહોંચ્યો તે વિશેની તપાસ કરવામાં આવશે. સાળંગપુર મંદિર તરફથી ફરિયાદ આપવામાં આવશે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

SP એ કહ્યુ કે કોઇ પણ વિવાદનો ઉકેલ સંવાદથી લાવવો જોઇએ. જો ભીંતચિત્ર મુદ્દે વિવાદ હોય તો મંદિર મેનેજમેન્ટ સાથે વાટાઘાટ કરીને ઉકેલ લાવવો જોઇએ. કોઇ વ્યકિત આ રીતે કાયદો હાથમાં લે તે વાત યોગ્ય નથી.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.