સુરતના મિનિ હીરાબજારમાં હીરા વેરાયાની વાત વાયુવેગે ફેલાઇ, વિણવા માટે પડાપડી થઇ

જ્યાં રસ્તા પર ઉભા રહીને લોકો કરોડો રૂપિયાના હીરાનો ધંધો કરે છે તેવા વરાછામા આવેલા મીની હિરાબજારમાં કોઇકનું હીરાનું પડીકુ પડી ગયું અને રસ્તા પર હીરાવેરણ થઇ ગયા છે એ વાત વાયુવેગે ફેલાઇ જતા હીરા વિણવા માટે લોકોએ પડાપડી કરી હતી કે, એકાદ હીરો મળી જાય તો જિંદગી બની જાય. જો કે મીની હીરાબજારમાં રસ્તા પર વેરાયેલા હીરા અસલી છે કે નકલી એ બાબતે ચોક્કસ સમર્થન મળી શક્યું નથી.

રસ્તામાં કોઇ વસ્તુ વેરાઇ જાય અને એ મફતમાં મળતી હોય તો તે લૂંટી લેવાની ઘણા લોકોની માનસિકતા હોય છે. હમણાં જ્યારે ટામેટાના ભાવો આસમાન પર હતા ત્યારે એક ટ્રક ઉંધી વળી જતા લોકો ટોપલીઓ લઇને ટામેટા વીણવા દોડી ગયા હતા. દારુ ભરેલું વાહન ઉથલી પડ્યું હોય તો દારૂ ની બોટલો પણ લોકો લૂંટીને ભાગી જતા હોય છે.

આવી જ એક વાત સામે આવી છે કે વરાછામાં આવેલા મીની હીરાબજારમાં જ્યાં રોજ પડેને હજારોની સંખ્યામાં હીરાના વેપારીઓ રસ્તા પર ઉભા રહીને ધંધો કરતા હોય છે અને કરોડો રૂપિયાનો વેપાર રસ્તા પર થાય છે.

આવા મીની હીરાબજારમાં રસ્તામાં ડાયમંડ વેરાયા હોવાની વાત વાયુવેગે ફેલાઇ જતા લોકો કામ ધંધો છોડીને ડાયમંડ વિણવા માટે દોડી આવ્યા હતા.જો કે આ બાબતે જ્યારે અમે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઇ ઝીલેરિયાને પુછ્યું તો તેમણે કહ્યું કે, અમારી પાસે વાત આવી છે કે મીની હીરાબજારમાં રસ્તા પર હીરા વેરાયા છે અને ખોડીયાર નગર સુધી લોકો હીરા શોધી રહ્યા છે. ઝીલેરિયાએ ક્હયું કે, અમને એવી માહિતી મળી છે કે રસ્તા પર વેરાયેલા અમેરિકન ડાયમંડ હતા.

જાણવા મળેલી માહિતી મુજબ વરાછાના મીની હીરાબજારથી માંડીને ખોડિયાર નગર સુધી હીરા શોધવા માટે લોકો મહેનત કરી રહ્યા છે અને કેટલાંક તો બ્રસ લઇને આવ્યા હતા, કારણકે હીરાની સાઇઝ એકદમ સૂક્ષ્મ હોવાને કારણે જલ્દી મળે નહીં. હીરા શોધવામાં કેટલીક મહિલાઓ પણ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

વરાછામાં હીરા વેરાયાની વાતે આખા હીરાઉદ્યોગમાં ખળભળાટ મચાવી નાંખ્યો છે અને સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે.

રસ્તા પર પડેલા હીરા વિણવા પાછળનું સૌથી મોટું કારણ એ હતું કે ડાયમંડનું વેલ્યુએશન ઘણું ઉંચુ રહેતું હોય છે. એક હીરાની કિંમત ઘણી વખત લાખો રૂપિયામાં થતી હોય છે.કદાચ લોકો એવું માનીને હીરા વિણવા ગયા હતા કે 15-20 હીરા મળી જાય તો રાતોરાત કરોડપતિ પણ બની શકાય છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.