નૌતમ સ્વામીની હકાલપટ્ટી પછી દિલીપદાસ મહારાજને મળી આ જવાબદારી, વિવાદ ફળ્યો

તાજેતરમાં સાળંગપુર મંદિરમાં ભીંતચિંત્રો પર હનુમાનદાદાને દાસ તરીકે બનાવવાનો મુદ્દાએ આખા ગુજરાતને હચમચાવી નાંખ્યું હતું અને એ દરમિયાન સ્વામીનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીનો વિવાદીત વીડિયો સામે આવ્યા પછી તેમની અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી હકાલ પટ્ટી કરવામાં આવી હતી. આ આખા સાળંગગુપર વિવાદમાં સક્રીય ભૂમિકા ભજવનાર સંત દિલીપદાસ મહારાજને વિવાદ ફળી ગયો છે અને નૌતમ સ્વામીની જગ્યાએ તેમને અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.

સાળંગપુર વિવાદ દરમિયાન નૌતમ સ્વામીની હકાલ પટ્ટી કર્યા પછી અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસજીની અધ્યક્ષતામાં બુધવારે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વાનુમતે અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના પ્રમુખ તરીકે જગન્નાથ મંદિરના મહંત મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજની નિમણૂંક કરવામાં આવી છે.

આ બેઠકમાં અવિચલદાસજી મહારાજે કહ્યુ કે સાળંગપુર વિવાદ મામેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલની આગેવાની જે બેઠક મળી તેમાં આંદોલન ચલાવનારા સંતોને બોલાવાયા નહોતા, એ વાત યોગ્ય નથી.સનાતન ધર્મ માટે જે સાધુ સંતો લડત ચલાવી રહ્યા હતા તેમને પણ બેઠક માટે આમંત્રિત કરવાની જરૂર હતી.

તેમણે આગળ કહ્યું કે સ્વામિનારાયણ સંતોની સાથે હું સપર્કમાં છુ અને સમાધાન માટેના પ્રયાસો ચાલુ છે.તેમણે સાથે ચિમકી આપતા એમ પણ કહ્યું કે જો સ્વામિનારાયણ સંતો સમાધાન નહીં કરશે તો નુકશાન થશે. સનાતન ધર્મમાં સમાધાન જ એક માત્ર વિકલ્પ છે.તેમણે કહ્યુ કે, સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધું –સંતો સાથે પણ ચર્ચા કરવામાં આવશે.

કાર્યકારી અધ્યક્ષ તરીકે મોહનદાસજી મહારાજ અને રાજેન્દ્રગીરિ મહારાજની પણ નિમણૂંક કરવામાં આવી છે.

સાળગંપુર મંદિરના વિવાદમાં બળતામાં ઘી હોમનારા નૌતમ સ્વામી પર સાધુ સંતો નારાજ થયા હતા અને તેમને અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાતના અધ્યક્ષ પદેથી દુર કરવામાં આવ્યા હતા. આ નિર્ણય અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારી બેઠકમાં લેવાયો હતો.

નૌતમ સ્વામીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા હતા કે, સ્વામીનારાયણ ભગવાન છે અને તેમના કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે. તેમણે આગળ કહ્યુ કે, ભગવાનના જેટલા પણ અવતાર થયા ભગવાન શ્રીરામ, ભગવાન કૃષ્ણ નારાયણ, સ્વામી નારાયણ પણ ભગવાન જ છે. સ્વામીનારાયણ ભગવાનની પણ હનુમાનજીએ સેવા કરેલી છે.

એ વિશે સ્વામીનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ જાહેર છે. તેમણે કહ્યું કે નાના મોટો પ્રશ્નો હોય તો તેની યોગ્ય ફોરમ પર વાત કરી શકાય. કેટલાંક લોકો કોર્ટમાં ગયા છે અને કોર્ટ જવાબ આપશે. નાના-મોટા લોકોએ જવાબ આપવાની જરૂર નથી.

સાળંગપુરમાં હનુમાનજી મહારાજની વિશાળ પ્રતિમા છે એ ગૌરવની બાબત છે. કોઇ પણ સ્વામીનારાયણ મંદિર એવું ન હોય જેમા હનુમાન મહારાજ અને વિધ્નહર્તા દેવ હાજર ન હોય.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.